મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી કરો, પ્રકૃતિક ખેતી અને વૃક્ષા રોપણ કરો: નરેન્દ્ર મોદી


SHARE











ગુજરાતમાં ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી કરો, પ્રકૃતિક ખેતી અને વૃક્ષા રોપણ કરો: નરેન્દ્ર મોદી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. અને આઝાદી ક અમ્રુત મહોત્સવને ધ્યાનમાં રાખીને ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી, પ્રકૃતિક ખેતી તેમજ વૃક્ષા રોપણ કરવાની વાત ઉપર ભાર મૂક્યો હતો

આજે નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં લોકોને સંબોધન કર્યું હતું ત્યારે દરેક ગામમાં જે પાણી પાછળ મોટા ખર્ચ થાય છે તેને રોકવા માટે કુદરતી રીતે આવતા પાણીને રોકીને જમીનમાં પાણીના તળ ઊંચા લવાવવા માટે બોરીબંધ બનાવવા માટે કહ્યું હતું અને ખાતર-સિમેન્ટની ખાલી થેલીઓ ભેગી કરી તેમાં માટી ભરીને પાણી રોકવામાં આવે તેમજ એક લાખ ખેત તલાવડી બનાવવામાં આવે તેવું આહ્વાન કર્યું હતું તેમજ ગામમાં ૭૫ ખેડૂતો નક્કી કરીને પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. તો ખેતી, જમીન અને ગામ બચી જશે તેવી લાગણી વ્યક્ત કરી હતી આટલું જ નહીં. નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું હતું અને કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા અને ગામના જન્મ દિનની ઉજવણી કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, શાળા શિક્ષકોની નથી શાળા કોઈપણ ગામની પ્રાણશક્તિ છે. હાલમાં આઝાદી અમૃત મહોત્સવ ચાલુ છે ત્યારે ૨૦૨૩ સુધીમાં ૭૫ કાર્યક્રમો ગામમાં કરવાના છે અને ગામ આખું ભેગું થઈને ૭૫ ઝાડ વાવે અને ખેડૂતો પ્રકૃતિક ખેતી કરે તેમજ લોકો વૃક્ષા રોપણ કરે તે વાત ઉપર ભાર મૂક્યો હતો






Latest News