મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના મયાપુર ગામે ઝેરી દવા પી પરિણીતાએ કર્યો આપઘાત


SHARE













હળવદના મયાપુર ગામે ઝેરી દવા પી પરિણીતાએ કર્યો આપઘાત

હળવદ તાલુકાના મયાપુર ગામે વાડીએ રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા એમપીના પરિવારની પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર આપવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના વાંકાનેરી ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મયાપુર ગામની સીમમાં નાનજીભાઈ શિવાભાઇ દલવાડીની રહેતા અને ખેતરોમાં મજૂરી કામ કરતા રૂપસિંહભાઇ બામણીયાના પત્ની રોમીલાબેન (૨૪)એ કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે તેનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની તેઓના પતિએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને હાલમાં આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક પરિણીતાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હોવાનું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News