મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી : મૂંડીયા સ્વામી જગ્યામાં શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતી વિવાહની ધામધૂમથી ઉજવણી થશે


SHARE













મોરબી : મૂંડીયા સ્વામી જગ્યામાં શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતી વિવાહની ધામધૂમથી ઉજવણી થશે

મોરબીના સ્ટેશન રોડ સુપર ચોકડી નજીક આવેલ નીલકંઠ મહાદેવ મૂંઢીયા સ્વામીની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ પાર્વતીના વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.આગામી સમયમાં શિવરાત્રી આવી રહી છે ત્યારે શિવાલયોમાં ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે મોરબીના સ્ટેશન રોડ સુપર ટોકીઝ નજીક આવેલી મૂંઢિયા સ્વામીની જગ્યા નીલકંઠ મહાદેવ મંદિરની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના તથા શિવ-પાર્વતી વિવાહ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે યોગેશભાઈ (મો.99095 41225) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.

માળિયાના રોહિશાળા ગામે મહાશિવરાત્રીના ભવ્ય સંતવાણીનું આયોજન

માળિયા (મિં) તાલુકાના રોહિશાળા ગામે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જાગૃત મહાદેવના સાનિધ્યમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આવતીકાલે તા.૧ ના રોજ સમસ્ત રોહિશાળા ગામ દ્વારા જાગૃત મહાદેવના સાનિધ્યમાં રાત્રે ૧૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં ભજનીક અલ્પાબેન રાઠોડ, સાહિત્ય અને હાસ્ય કલાકાર જોરૂભા ડોડીયા દ્વારા સાહિત્યનું રસપાન કરાવવામાં આવશે. આ સંતવાણી કાર્યક્રમમાં સહુ ધર્મ પ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા રોહિશાળા ગામ સમસ્ત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News