ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કરનારા સાત શખ્સોની ધરપકડ


SHARE











મોરબીના પંચાસર રોડે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કરનારા સાત શખ્સોની ધરપકડ

મોરબીના પંચાસર રોડ ઉપરથી પસાર થતા સવારા યુવાને થોડા દિવસો પહેલા ૮ શ્ખ્સોએ છરી અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજાગ્રસ્ત યુવાને સરવાર લીધા બાદ આઠ સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી લીધી છે. 

 

શહેરના પંચાસર રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં રહેતા જયેશ મોતીભાઈ નકુમ (૨૨)ને થોડા દિવસો પહેલા રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં આઠેક શખ્સોએ ધોકા અને છરી વડે માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્તને સારવારમાં લઇ જવાયો હતો. આ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકે જયેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તુલસી હસમુખ સંખેશરીયાઅભય હસમુખ સંખેશરીયા અને તેમની સાથેના છ અજાણ્યા ઇસમો એમ આઠેક શખ્સોએ એક દિવસ પહેલા તેની અને સાથે રહેલા સાહેદ દિલીપભાઈ સાથે બોલાચાલી તેમજ ઝઘડો થયો હતો જેમાં તે સામેલ હોવાની વાતનો રોષ રાખીને ધોકા અને છરી વડે હુમલોકરીને છાતીમાથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ કરી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં તુલસી હસમુખ સંખેશરીયા (રાજનગર)અભય હસમુખ સંખેશરીયા (રાજનગર), આશિષ હેમંતભાઈ આદ્રોજા (શક્તિ ટાઉનશિપ, રવાપર રોડ), દિપક રામજીભાઇ વરાણીયા (ત્રાજપર ખારી), સંદીપભાઈ બાબુભાઇ પીપળીયા (નવલખી રોડ), કાનજી બાબુભાઈ સોલંકી (પંચાસર રોડ) અને રાજેશ સાવજીભાઇ પીપળીયા (નવલખી રોડ) વાળાની ધરપકડ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News