મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળા નંબર-૧ ના શિક્ષિકા કૈલાશબાનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીની તાલુકા શાળા નંબર-૧ ના શિક્ષિકા કૈલાશબાનો વિદાય સમારોહ યોજાયો

 મોરબી તાલુકા શાળા નં ૧ના શિક્ષિકા ગોહિલ  કૈલાસબા ભારતસિંહ  વયનિવૃત્તિના કારણે  નિવૃત્ત થતા તેમનો શાળા પરિવાર તરફથી વિદાય સન્માનનો  કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આદરણીય મોરબી જિલ્લા પ્રાથમિક શિણાધિકારી ભરતભાઈ સોલંકી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર, મોરબી કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર, માળિયા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હૂંમલ, તાલુકા શાળા નંબર ૧ ના સીઆરસી કો.ઓડીનેટર તથા મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજાની હાજરીમાં વિદાયમાન કૈલાસબાનું હવે પછીનું શેષજીવન આરોગ્યમય અને દીર્ઘાયુ વાળુ રહે તેવી શુભકામના પાઠવી હતી આ તકે ગોહિલ કૈલાશબા તરફથી શાળા પરિવારને યાદગીરી સ્વરૂપેમાં સરસ્વતીની મૂર્તિ ભેટ આપવામાં આવેલ હતી અને શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપીને વિદાય સન્માન આપવામાં આવેલ હતું






Latest News