મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના જેપુર પાસે વાડીની કુંડીમાંથી ૯૬ બિયરના ટીન મળ્યા, આરોપીની શોધખોળ


SHARE











વાંકાનેરના જેપુર પાસે વાડીની કુંડીમાંથી ૯૬ બિયરના ટીન મળ્યા, આરોપીની શોધખોળ

વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરી હતી અને વાડીએ મૂકવામાં આવેલ સિમેન્ટની કુંડીમાં ચેક કરતાં ત્યાંથી ૯૬ બીયરના ટીન મળી આવ્યા હતા માટે પોલીસે ૯૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાડીનો માલિક હાજર ન હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ અનિલભાઈ ઉર્ફે અરવિંદભાઈ જેસાભાઈ બારીયા રહે. રૂપાવટી વાળાની વાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી વાંકાનેર તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરી હતી ત્યારે અનિલ જેસાભાઈ બારીયાની વાડીમાં મુકવામાં આવેલ સિમેન્ટની કુંડળીમાંથી બીયરના ૯૬ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૯૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે અનિલ ત્યાં હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News