મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના જેપુર પાસે વાડીની કુંડીમાંથી ૯૬ બિયરના ટીન મળ્યા, આરોપીની શોધખોળ


SHARE













વાંકાનેરના જેપુર પાસે વાડીની કુંડીમાંથી ૯૬ બિયરના ટીન મળ્યા, આરોપીની શોધખોળ

વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરી હતી અને વાડીએ મૂકવામાં આવેલ સિમેન્ટની કુંડીમાં ચેક કરતાં ત્યાંથી ૯૬ બીયરના ટીન મળી આવ્યા હતા માટે પોલીસે ૯૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાડીનો માલિક હાજર ન હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ અનિલભાઈ ઉર્ફે અરવિંદભાઈ જેસાભાઈ બારીયા રહે. રૂપાવટી વાળાની વાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી વાંકાનેર તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરી હતી ત્યારે અનિલ જેસાભાઈ બારીયાની વાડીમાં મુકવામાં આવેલ સિમેન્ટની કુંડળીમાંથી બીયરના ૯૬ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૯૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે અનિલ ત્યાં હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News