મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રકૂટ ચોકમાં રહેતી પરિણીતાએ બાથરૂમમાં જાત જલાવી


SHARE











મોરબીના ચિત્રકૂટ ચોકમાં રહેતી પરિણીતાએ બાથરૂમમાં જાત જલાવી, મહિલાને રાજકોટ સારવારમાં ખસેડાયા

મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી પાસે આવેલ ચિત્રકૂટ ચોકના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ તેઓના ઘરે બાથરૂમમાં અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાને પ્રથમ સારવાર માટે મોરબી આબે ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાની સારવાર હાલમાં રાજકોટ ચાલુ છે તેવું જાણવા મળેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોકમાં મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન જયેશભાઈ પટેલ નામના ૩૭ વર્ષીય મહિલાતેના ઘરે એકલા હતા ત્યારે બાથરૂમમાં જવલંતશીલ પદાર્થ શરીરે છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી તે ગંભીરપણે દાઝી ગયેલ હતી જેથી તેને મોરબીની હોસ્પિટલમાં  સારવાર માટે લઈને આવ્યા હતા અને મહિલા વધુ ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેને તાત્કાલિક રાજકોટ રિફાર કરવામાં આવેલ છે અને હાલ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભારતીબેન ઘરે એકલા હતા ત્યારે તેને અગ્નિસ્નાન કરેલ છે અને તેઓ મૂળ તરઘડી ગામના વતની છે બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા આગળની તપાસ કરી રહ્યા છે.

અકસ્માતમાં ઈજા

ધાંગધ્રાના ગાજણ ગામના ભરતભાઈ મધુભાઈ ઇંદરિયા નામનો ૪૨ વર્ષીય યુવાન મોરબીના હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસેથી પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ભરતભાઈને હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવેલ છે જ્યારે મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા ઓધવજીભાઈ પુંજાભાઈ કણજારીયા નામનો ૪૯ વર્ષીય યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સાધના હોટલ પાસેથી જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ઓધવજીભાઈને પણ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં ખસેડાયા હતા.






Latest News