તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં લોકદરબાર યોજીને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકોના પ્રશ્નો ઉકેવા અધિકારીઓને આપી સૂચનાઓ


SHARE











મોરબીમાં લોકદરબાર યોજીને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકોના પ્રશ્નો ઉકેવા અધિકારીઓને આપી સૂચનાઓ

મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ગુરુવારે મોરબી સર્કિટ હાઉસ ખાતે લોકદરબાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોના જુદાજુદા વિભાગને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને સૂચના આપી હતી આ તકે ખેતીવાડી, સિંચાઈ, કેનાલ, મહેસુલ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત, આરોગ્ય, રેલવે સહિતના પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર આવે તે માટે જુદીજુદી રજૂઆતો આવી હતી વધુમાં સ્થાનિક આગેવાનો તેમજ સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, નિલેષભાઈ જેતપરિયા, કિરીટભાઇ ઓગણજા, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, સામાજિક આગેવાન સતિષભાઇ કાનબાર સહિતના આગેવાનોએ પણ મંત્રીની મુલાકાત કરી હતી અને મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ટ્રાફિક સિગ્નલ મૂકવા માટે રજૂઆત કરી હતી જેથી કરીને આગામી સમયમાં ટ્રાફિક નિયમન કરવા સિગ્નલ મુકી સમસ્યાનો અંત લાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવા અધિકારીને મંત્રીએ કહ્યું હતું આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ચંદુભાઈ હુંબલ, ભાજપ આગેવાન કે.કે. પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા






Latest News