મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન ધર્મ પર અભદ્ર ટીપ્પણીનો વિરોધ


SHARE







મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન ધર્મ પર અભદ્ર ટીપ્પણીનો વિરોધ

તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાર્ટીના સંસદ બહેન મહુઆ મોઇત્રા દ્વારા સંસદ ભવનમાં જૈન ધર્મ ઉપર અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી કેજૈનના દીકરાઓ પરિવારથી છુપાઈને કબાબ અને નોનવેજ ખાય છે. આ બહેનને ખબર નથી કે જૈન સમાજ અહિંસા પરમો ધર્મથી ઓળખાય છે. નોનવેજની વાત તો બહુ દુર રહી ગઈ પરંતુ જૈન ધર્મમાં કંદમૂળ બિલકુલ વપરાતા નથી કંદમૂળ વાપરવુંએ અમારા માટે બહુ મોટું પાપ છે. જૈન ધર્મ ત્યાગ અહિંસા જીવદયા પ્રેમી તરીકે ઓળખાય છે. આ બહેન મહુઆ મોઇત્રા પોતાના રાજકીય લાભ અથવા તો પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટેના તેના આ નિવેદનને સમસ્ત વિશ્વના જૈન સમાજ તેમના નિવેદનને વખોડેલ છે. કોઈપણ સંસદ, રાજકીય કે સામાન્ય વ્યક્તિએ કોઈપણ ધર્મ વિષે ટીપ્પણી કરવાનો હક્ક નથીતો આગામી સમયમાં સંસદ ભવનમાં કે જાહેરમાં ફક્ત જૈન જ નહિ પરંતુ કોઈપણ ધર્મ વિષે ટીપ્પણી કરવાનો અધિકાર નથી. આ બહેનને ખબર નથી કે હોટલોમાં અને હવે તો સરકાર દ્વારા રેલ્વેમાં પણ જૈન ફૂડની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે અને હોટલોમાં પણ એમ લખવામાં આવે છે કે જૈન ફૂડ શબ્દ મેનુમાં લખવામાં આવે છે. મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા ટીએમસી પાર્ટીના સંસદ બહેન મહુઆ મોઇત્રા તેમને કરેલ અયોગ્ય ટીપ્પણી બદલ જાહેરમાં અને સંસદ ભવનમાં પોતાના શબ્દો પરત ખેંચી લ્યે અને માફી માંગે તેવી માંગણી કરી છે આબે મોરબી જૈન સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.






Latest News