મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી : લોહાણા સમાજના આગેવાનોએ લીધી વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની મુલાકાત, આમંત્રણ પાઠવ્યુ


SHARE











મોરબી : લોહાણા સમાજના આગેવાનોએ લીધી વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની મુલાકાત, આમંત્રણ પાઠવ્યુ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞમાં પધારવા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીતના અગ્રણીઓએ રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.અખિલ કચ્છ લોહાણા સમાજ તથા ભુજ લોહાણા મહાજન સહીતની સંસ્થાઓને પણ અગ્રણીઓએ રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.

સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામનુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે વિશાળ સંકુલનુ નિર્માણ કાર્ય શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી સહીતના લોહાણા સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે.ત્યારે આગામી તા.૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી દરમિયાન પ.પૂ.હરિચરણદાસજી મહારાજના આશિર્વાદથી તેમના સાનિધ્યમા શ્રી રામ મહાયજ્ઞનુ અનેરૂ આયોજન કરવામા આવેલ છે.જે અંતર્ગત મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા, વૃતિકભાઈ બારા સહીતના અગ્રણીઓએ કચ્છ જીલ્લાની મુલાકાત લઈ અખિલ કચ્છ લોહાણા સમાજ, ભુજ લોહાણા મહાજન સહીતની સંસ્થાઓને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.તે ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.શ્રી રામધામના નિર્માણ કાર્યને ચોમેરથી સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે વિશાળ ફલક પર નિર્માણાધિન આ સંકુલમા સંતો-મંહતોની ઉપસ્થિતીમા યોજનાર ઐતિહાસિક  શ્રી રામ મહાયજ્ઞ સમગ્ર લોહાણા સમાજ માટે ગૌરવવંતી બાબત બની રહેશે.તેમ યુવા લોહાણા અગ્રણી નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.






Latest News