મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના ટીપીઇઓ આચાર્યો- શિક્ષકોને ખોટી રીતે હેરાન કરતા હોવાની રાવ


SHARE











વાંકાનેરના ટીપીઇઓ આચાર્યો- શિક્ષકોને ખોટી રીતે હેરાન કરતા હોવાની રાવ

વાંકાનેર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકોને આચાર્યોને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવે છે તેવી માહિતી સામે આવી રહી છે અને શાળાઓની મુલાકાત લઈ અવનવી ૬૦ સાંઈઠ પ્રકારની કવેરી કાઢવામાં આવેલ હતી જેનો જવાબ શિક્ષકોએ રૂબરૂ તાલુકા પંચાયતે આવીને ટીપીઈઓને જ કરવો, અન્ય કોઈને જાણ ન કરવી આવી ગર્ભિત ધમકીઓથી શિક્ષકો ખુબજ માનસિક ત્રાસ અને ટેંશન અનુભવે છે.

 ઉચ્ચતર પ્રાથમિક ધોરણની દરખાસ્તો અગાઉના વખતમાં તાલુકા પંચાયતમાં રજૂ કરતા હતા એવા જ પત્રકોમાં કરેલ હોવા છતાં શિક્ષકોને નોટિસો આપી અને જવાબ રૂબરૂ આપવાની કડક સૂચનાઓ આપી હતી. આવી માહિતી કેવી રીતે આપવી? ક્યાં ફોર્મેટમાં આપવી? એની સમજ આપ્યા વગર શિક્ષકો જાણે ગુનેગાર હોય એવું ટીપીઈઓ દ્વારા વર્તન કરવામાં આવે છે. અને હમણાં ટીપીઈઓ તમામ શાળામાંથી છેલ્લા પાંચ વર્ષના શિક્ષકોના હાજરી પત્રક મંગાવી, શિક્ષકોને ડરાવવાનું અને ધમકાવવાનું કાર્ય શરૂ કર્યું છે. શું શિક્ષકોને આવી રીતે હેરાન પરેશાન કરી શિક્ષણ સુધરશે? કે પછી આવી રીતે શિક્ષકોને ડરાવી પોતાનું કામ કઢાવી લેવાની મેલી મુરાદ હોય એવું જણાય આવે છે

આ બાબતે ટીપીઈઓને શિક્ષકોને ખોટી રીતે હેરાન પરેશાન કરતા અટકાવવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વાંકાનેરને શિક્ષકોનું પ્રતિનિધિ મંડળ બે વખત મળીને રજુઆત કરી હતી છતાં તેઓ સમજ્યા નહિ અને શાળાની મુલાકાત લેવાનો સિલસિલો અને શિક્ષકોને ધમકાવવાનું કામ ચાલુ જ રાખેલ છે સામાન્ય રીતે ઉચ્ચત્તર પગાર ધોરણોની કોઈ કવેરી હોય તો પે સેન્ટરના આચાર્ય મારફત પ્રકરણ પરત કરી પુરતતા કરવાની હોય છે પરંતુ ટીપીઈઓ શિક્ષકોને રૂબરૂ તાલુકા પંચાયતે શાળામાં રજા મૂકીને બોલાવે છે અને મળતી માહિતી મુજબ ટીપીઈઓ જ્યારે વાંકાનેર ફરજ પર હાજર થયા ત્યારે એમને મ્યુકર માઈકોસીસ થયું હોય હોસ્પિટલમાં દાખલ હોવા છતાં, ઘરે આરામમાં હોવા છતાં કાગળ પર ફરજ પર હાજર થયેલ છે. આવી બધી બાબતોથી શિક્ષકોમાં ખુબજ રોષની લાગણી ફેલાયેલ છે 






Latest News