ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં સમસ્ત લોહાણા સમાજની બેઠક યોજાઈ


SHARE











મોરબીમાં રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં સમસ્ત લોહાણા સમાજની બેઠક યોજાઈ

રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ ના નિર્માણ મા તન-મન-ધન થી સહયોગ આપવા મોરબી લોહાણા સમાજ ના આગેવાનો કટીબધ્ધ

સમસ્ત લોહાણા સમાજની એકતાના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામના નિર્માણનુ કાર્ય પુરજોશમા શરૂ થઈ ચુક્યુ છે ત્યારે શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા એવા રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામા મોરબી લોહાણા મહાજન દ્વારા સમસ્ત લોહાણા સમાજની મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા બહોળી સંખ્યામા રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત દરેક મહાનુભવોએ વિશાળ ફલક પર નિર્માણાધિન પવિત્ર શ્રી રામધામના નિર્માણ કાર્યમા તન-મન-ધનથી સહયોગ આપવા કટીબધ્ધતા દર્શાવી હતી. 

આગામી તા.૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી દરમિયાન વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા મુકામે નિર્માણાધિન શ્રી રામધામ ખાતે સદ્ગુરુ દેવ પરમ પૂજ્ય હરીચરણદાસજી મહારાજના આશિર્વાદથી તેમના સાનિધ્યમા શ્રી રામ મહાયજ્ઞનુ આયોજન કરવામા આવેલ છે જેમા દરેક રઘુવંશી ભાઈઓ-બહેનોને પધારવા શ્રી રામધામ કમિટી દ્વારા આમંત્રણ પાઠવવા મા આવ્યુ છે.આ તકે વાકાંનેર લોહાણા સમાજ ના અગ્રણી શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી, વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, મહેશભાઈ રાજવીર, બટુકભાઈ બુધ્ધદેવ, રાજકોટ લોહાણા સમાજ અગ્રણી પ્રતાપભાઈ કોટક, અશોકભાઈ મીરાણી, ભીખાભાઈ પાવ  ઉપરાંત મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નવિનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, મહેશભાઈ રાજા, જીતુભાઈ રાજવીર, મુકુંદભાઈ મીરાણી, જગદીશભાઈ કોટક, મોરબી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અધ્યક્ષ હસુભાઈ પુજારા, જીતુભાઈ પુજારા, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, દેવેન્દ્રભાઈ હીરાણી,રઘુવંશી સમાજ મોરબીના અગ્રણી અશ્વિનભાઈ કોટક, જગદીશભાઈ સેતા, જલારામ સેવા મંડળના અગ્રણી પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, જીતુભાઈ કોટક, ભાવીનભાઈ ઘેલાણી, અમિતભાઈ પોપટ, શ્રી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ સુનિલભાઈ ચંદારાણા, ડેનિશભાઈ કાનાબાર, રોનકભાઈ કારીયા, યોગેશભાઈ માણેક, સમસ્ત પોપટ પરિવાર મોરબીના અગ્રણી પ્રફુલ્લભાઈ પોપટ, સી.પી. પોપટ, શૈલેષભાઈ પોપટ, રાજકીય અગ્રણી હર્ષદભાઈ હીરાણી, અજયભાઈ કોટક, દીનેશભાઈ ભોજાણી, શ્રી જલારામ મંદિર મહીલા મંડળના અગ્રણીઓ સહીત બહોળી સંખ્યામા રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમ શ્રી લોહાણા મહાજનના કન્વીનર નિર્મિતભાઇ કક્કડે યાદીમાં જણાવ્યું છે.






Latest News