મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ચૂકવાશે ૪ લાખની સહાય: જયંતિભાઈ


SHARE







ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ચૂકવાશે ૪ લાખની સહાય: જયંતિભાઈ

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રમુખે કહ્યું હતુ કે, વર્તમાન સરકાર લોકોની સાથે અન્યાય કરી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ૪ લાખની સહાય ચૂકવશે

આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિ શરૂ કરવામાં આવી છે ત્યારે જ વાત કરીએ તો મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહેશભાઇ રાજ્યગુરુ, ધર્મેન્દ્રભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રમુખે કહ્યું હતું કે, સરકાર કોરોનામાં અવસાન પામેલા લોકોના આંકડા સાચા આપતી નથી એક બાજુ મોરબી જીલ્લામાં ૮૭ જ કોરોનાના મોત બતાવે છે અને બીજી બાજુ આજ સુધીમાં ૬૦૦ થી વધુ લોકોને સહાય ચૂકવવામાં આવી છે આમાં જોતાં મોરબી જીલ્લામાં કોરોનામાં લગભગ ૫૦૦૦ જેટલા લોકોના મોત થયા છે તેવું કહિતે તેઓએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ સુધીની સહાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે






Latest News