મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ચૂકવાશે ૪ લાખની સહાય: જયંતિભાઈ


SHARE











ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ચૂકવાશે ૪ લાખની સહાય: જયંતિભાઈ

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રમુખે કહ્યું હતુ કે, વર્તમાન સરકાર લોકોની સાથે અન્યાય કરી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ૪ લાખની સહાય ચૂકવશે

આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિ શરૂ કરવામાં આવી છે ત્યારે જ વાત કરીએ તો મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહેશભાઇ રાજ્યગુરુ, ધર્મેન્દ્રભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રમુખે કહ્યું હતું કે, સરકાર કોરોનામાં અવસાન પામેલા લોકોના આંકડા સાચા આપતી નથી એક બાજુ મોરબી જીલ્લામાં ૮૭ જ કોરોનાના મોત બતાવે છે અને બીજી બાજુ આજ સુધીમાં ૬૦૦ થી વધુ લોકોને સહાય ચૂકવવામાં આવી છે આમાં જોતાં મોરબી જીલ્લામાં કોરોનામાં લગભગ ૫૦૦૦ જેટલા લોકોના મોત થયા છે તેવું કહિતે તેઓએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ સુધીની સહાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે




Latest News