મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ગુજરાત ભાજપની અનુશાસન સમિતિના અધ્યક્ષ બન્યા સાંસદ મોહનભાઇ કુંડારીયા


SHARE







ગુજરાત ભાજપની અનુશાસન સમિતિના અધ્યક્ષ બન્યા સાંસદ મોહનભાઇ કુંડારીયા

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અનુશાસન સમિતિની રચના કરવામાં આવે છે અને આ અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવેલ છે જેથી ચોમેરથી મોહનભાઈને ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ તેઓના ટેકેદારો તરફથી શુભકામનાઓ મળી રહી છે

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને જુદા જુદા સેલસંગઠન અને મોરચાની અંદર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર અનુશાસન (શિસ્ત) સમિતિની રચના કરવામાં આવેલ છે જે અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોરબીમાં રહેતાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવે છે તેમજ આ સમિતિમાં સભ્ય તરીકે પુષ્પદાનભાઈ ગઢવી, કનુભાઈ માવાણી, ભરતભાઈ બારોટ અને શ્રીમતી જયાબેન ક્કરને લેવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોહનભાઈ કુંડારીયા સહિતના નવા હોદ્દેદારોને ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ તરફથી શુભકામનાઓ મળી ગઈ છે






Latest News