મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ગુજરાત ભાજપની અનુશાસન સમિતિના અધ્યક્ષ બન્યા સાંસદ મોહનભાઇ કુંડારીયા


SHARE











ગુજરાત ભાજપની અનુશાસન સમિતિના અધ્યક્ષ બન્યા સાંસદ મોહનભાઇ કુંડારીયા

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અનુશાસન સમિતિની રચના કરવામાં આવે છે અને આ અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવેલ છે જેથી ચોમેરથી મોહનભાઈને ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ તેઓના ટેકેદારો તરફથી શુભકામનાઓ મળી રહી છે

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને જુદા જુદા સેલસંગઠન અને મોરચાની અંદર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર અનુશાસન (શિસ્ત) સમિતિની રચના કરવામાં આવેલ છે જે અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોરબીમાં રહેતાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવે છે તેમજ આ સમિતિમાં સભ્ય તરીકે પુષ્પદાનભાઈ ગઢવી, કનુભાઈ માવાણી, ભરતભાઈ બારોટ અને શ્રીમતી જયાબેન ક્કરને લેવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોહનભાઈ કુંડારીયા સહિતના નવા હોદ્દેદારોને ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ તરફથી શુભકામનાઓ મળી ગઈ છે




Latest News