મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં 


SHARE













મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં 

મોરબીના કંડલા બાયપાસ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક લઇને જઇ રહેલા પિતા-પુત્રને કાર ચાલકે હડફેટે લેતાં મોરબીના વાવડી રોડ સત્યમપાર્ક વિસ્તારમાં રહેતા સુનીલ રતિલાલ પરમાર (૫૭) અને કૃતાર્થ સુનીલ પરમાર (૭) ને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા 

મોરબીના જૂના બસ સ્ટેશન પાસે રહેતા શોભાબેન પીન્ટુભાઇ મેથાણીયા નામની ૩૫ વર્ષીય મહિલાને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે બનેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા.જયારે રફાળેશ્વર ગામે રહેતા એરાજરામ મોરારામ (૧૯) નામના યુવાનને સાપ કરડી જતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા દયારામભાઈ દેવજીભાઈ દલવાડી નામના ૫૫ વર્ષના આધેડ તેઓના ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ હતા ત્યારે તેઓને ઝેરી અસર થવાથી સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલે લવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ સારવાર અર્થે રિફર કરાયા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના મકરાણીવાસમાં રહેતા હસન ઓસમાણ બ્લોચ નામના ૩૦ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લવાયો હતો.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News