મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં 


SHARE











મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં 

મોરબીના કંડલા બાયપાસ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક લઇને જઇ રહેલા પિતા-પુત્રને કાર ચાલકે હડફેટે લેતાં મોરબીના વાવડી રોડ સત્યમપાર્ક વિસ્તારમાં રહેતા સુનીલ રતિલાલ પરમાર (૫૭) અને કૃતાર્થ સુનીલ પરમાર (૭) ને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા 

મોરબીના જૂના બસ સ્ટેશન પાસે રહેતા શોભાબેન પીન્ટુભાઇ મેથાણીયા નામની ૩૫ વર્ષીય મહિલાને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે બનેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા.જયારે રફાળેશ્વર ગામે રહેતા એરાજરામ મોરારામ (૧૯) નામના યુવાનને સાપ કરડી જતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા દયારામભાઈ દેવજીભાઈ દલવાડી નામના ૫૫ વર્ષના આધેડ તેઓના ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ હતા ત્યારે તેઓને ઝેરી અસર થવાથી સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલે લવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ સારવાર અર્થે રિફર કરાયા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના મકરાણીવાસમાં રહેતા હસન ઓસમાણ બ્લોચ નામના ૩૦ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લવાયો હતો.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News