મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં 


SHARE













મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં 

મોરબીના કંડલા બાયપાસ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક લઇને જઇ રહેલા પિતા-પુત્રને કાર ચાલકે હડફેટે લેતાં મોરબીના વાવડી રોડ સત્યમપાર્ક વિસ્તારમાં રહેતા સુનીલ રતિલાલ પરમાર (૫૭) અને કૃતાર્થ સુનીલ પરમાર (૭) ને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા 

મોરબીના જૂના બસ સ્ટેશન પાસે રહેતા શોભાબેન પીન્ટુભાઇ મેથાણીયા નામની ૩૫ વર્ષીય મહિલાને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે બનેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા.જયારે રફાળેશ્વર ગામે રહેતા એરાજરામ મોરારામ (૧૯) નામના યુવાનને સાપ કરડી જતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા દયારામભાઈ દેવજીભાઈ દલવાડી નામના ૫૫ વર્ષના આધેડ તેઓના ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ હતા ત્યારે તેઓને ઝેરી અસર થવાથી સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલે લવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ સારવાર અર્થે રિફર કરાયા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના મકરાણીવાસમાં રહેતા હસન ઓસમાણ બ્લોચ નામના ૩૦ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લવાયો હતો.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News