મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી


SHARE







મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી

મોરબી અને માળીયા(મિ.) તાલુકના ૫૨ ગામોમાં આજની તારીખે  સિચાઈના પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી જેથી કરીને ઘણા ગામડા ખાલી થઈ ગયા છે ત્યારે મોરબીમાં રહેતા ખેડૂત આગેવાન કાંતિલાલ ડી. બાવરવાસિંચાઈના પાણીથી વંચિત મોરબી અને માળીયાના ૫૨ ગામના ખેડૂતો માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે

હાલમાં કાંતિલાલ ડી. બાવરવાએ કહ્યું છે કે, સિંચાઈના પાણીથી વંચિત આ બંને તાલુકાના ખેડૂતો રાજકીય હાથા બની તેમજ ગમા અણગમા પડી પોતાના હિતનું રક્ષણ કરી શકતા નથી ટાટીયા ખેચમાં પડ્યા રહે છે અને ખેતી માટે સિંચાઇનું પાણી નર્મદા કે મચ્છુ બેમાંથી મળે તે જરૂરી છે જો કે, પાણી આપવામાં આવતું નથી તે હક્કિત છે ત્યારે ખેતી માટે સિંચાઈનું પાણી જોતું હશે તો કચ્છના કિસાનોએ જે એકતા બતાવી કચ્છને પીવા માટે તેમજ સિંચાઈ માટે વધારાનું પાણી નર્મદા કેનાલમાંથી મેળવવા માટે સિદ્ધાંતિક મંજૂરી સરકાર પાસેથી મેળવી છે તેવી જ રીતે મોરબી જિલ્લાના આ બે તાલુકાનાં ખેડૂતોએ એકતા સાથે લડત કરવી પડશે અત્રે ઉલેખનીય છે કે, નર્મદા કેનાલ તો મોરબી જીલ્લામાં આવેલ જ છે અને મચ્છુ-૨ ડેમ સૌની યોજનાનો મધર ડેમ છે તો પણ આ જિલ્લાના બે તાલુકામાં સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી આવી જ રીતે મચ્છુ-૩ માંથી પણ ખેડૂતોને પાણી મળતું નથી જો ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવું હશે તો ખેડૂતોની એકતા જરૂરી છે અને જો સરકાર આ બંને તાલુકાના સિંચાઇથી વંચિત ૫૨ ગામોને સિંચાઇનું પાણી આપવા માટે સિદ્ધાંતિક મંજૂરી ન આપે તો બધા ખેડૂતોએ ગાંધી ચિંધ્યા રાહે સત્યાગ્રહ આંદોલન કરવાની જરૂર છે તો જ સરકારના કાન સુધી અહીના ખેડૂતોનો અવાજ પહોચશે અને સરકાર સામે આંદોલન કરવાની પણ કાંતિલાલ ડી. બાવરવાએ તૈયારી બતાવી છે અને ખેડૂતો પાસેથી સહકાર માંગ્યો છ






Latest News