મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોટી રાહત: મોરબી જીલ્લામાં કોરોનાના વધતાં કેસ વચ્ચે પણ હોસ્પીટલમાં સારવાર હેઠળ માત્ર બે દર્દી:  કુલ એક્ટિવ કેસ ૧૦૪૭


SHARE







મોટી રાહત: મોરબી જીલ્લામાં કોરોનાના વધતાં કેસ વચ્ચે પણ હોસ્પીટલમાં સારવાર હેઠળ માત્ર બે દર્દી:  કુલ એક્ટિવ કેસ ૧૦૪૭

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે અને ધીમેધીમે કરતાં આજની તારીખે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૦૪૭ થઈ ગયેલ છે અને ગઇકાલે કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી કોરોનાના નવા ૨૬૫ કેસ નોંધાયા છે અને દરરોજ કોરોના પોતાનો જ રેકોર્ડ તોડતો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તો પણ લોકોમાં કોરોનાને લઈને કોઈ ગંભીરતા જોવા મળી રહી નથી અને હાલમાં ૧૦૪૭ એક્ટિવ કેસ છે જો કે, તેમાંથી હોસ્પીટલમાં માત્ર બે જ દર્દી સારવાર લઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે

મોરબી જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે દરરોજ સેમ્પલ લેવામાં આવે છે તેવી જ રીતે બુધવારે કુલ મળીને ૧૭૩૬ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાંથી કોરોનાના નવા ૨૬૫ કેસ નોંધાયા છે અને તેની તાલુકા વાઇઝ આંદાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબીમાં શહેરમાં ૧૨૨, ગ્રામ્યમાં ૮૮, વાંકાનેર શહેરમાં ૯ અને ગ્રામ્યમાં ૯ હળવદ ગ્રામ્યમાં ૧૪, ટંકારા ગ્રામ્યમાં ૧૫ અને માળિયા ગ્રામ્યમાં ૮ નવા કેસ સામે આવેલ છે અને આમ ધીમેધીમે કરતાં આજની તારીખે મોરબી જીલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૦૪૭ થયેલ છે જો કે, આ દર્દીઓમાંથી માત્ર બે જ દર્દી હાલમાં મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે જો કે, બાકીના બધા જ દર્દીઓ ઘરે જ રહીને સારવાર લઈ રહ્યા છે અને તમામની તબિયત સારી જ હોવાનું જાણવા મળેલ છે

વધુમાં આરોગ્ય અધિકારી ડો.જે.એમ. કતિરાની સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, આ વખતે કોરોનાના કેસ વધી રહ્યા છે જો કે, દર્દીઓ મોટાભાગે સઘરે જ સારવાર લઈ રહ્યા છે કેમ કે, બીજી લહેરની જેમ ઑક્સીજનની જરૂરિયાત ઊભી થાય તેવી પરિસ્થિતી હાલમાં જોવા મળી રહી નથી જો કે, તેમણે જણાવ્યુ હતું કે, અગાઉ સંજીવની રથ ચાર હતા પરંતુ કોરોનાના કેસ વધતાં તેને હાલમાં ૨૩  સંજીવની રથ કાર્યરત કરવામાં આવેલ છે અને ૮ ધન્વંતરિ રથ દર્દીઓની સારવાર માટે દોડાવવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં જો કોરોનાના કેસમાં વધારો જોવા મળશે તો હજુ પણ  સંજીવની રથ અને ધન્વંતરિ રથ ની સંખ્યામાં વધારો કરવામાં આવશે

અધિકારી-કર્મચારીઓ કોરોનાની ઝપટે
મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, શિક્ષણ વિભાગ, જીએસટી કચેરી, સહિતના જુદાજુદા વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓએ અને કર્મચારીઓમાંથી ઘણા લોકોને આ વખતે કોરોના પોઝિટિવ આવેલ છે જેથી કરીને ઘણી કચેરી અધિકારી અને કર્મચારીઓ કોરોનાની સારવાર હેઠળ હોવાથી ખાલી જોવા મળી રહી છે






Latest News