મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે થયેલ હત્યાના બનાવમાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીના ધરમપુર ગામે થયેલ હત્યાના બનાવમાં આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીના ધરમપુર ગામે યુવાનની હત્યા થઈ હતી જે ગુનામાં પકડવામાં આવેલા આરોપીએ હાઇકોર્ટમાં જામીન માટે આરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલી દલીલોને ધ્યાને લઈને હાઈકોર્ટે એક આરોપીના જામીન મંજૂર કરેલ છે

મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે, તેમના પતી સાથે ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને આરોપીઓએ એકસંપ કરીને ગે૨કાયદે મંડળી રચી લાડકાના ધોકા તથા પથ્થરો વતી ફરીયાદીના પતિને તથા સાહેદને બેફામ ગાળો આપી લાકડાના ધોકાથી આડેધડ શરીરે માર મારતા નાનીમોટી ઈજાઓ કરી હતી તેમજ પથ્થરોના છુટા ઘા કરીને શરીરે મુંઢ ઈજા તથા ફેકચર કરીને ફરીયાદીના પતિને આખા શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડીમે મોત નીપજાવી ગુનો કર્યો હતો. આ ફરીયાદીના આધારે મોરબી તાલુકા પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરેલ હતી. જેમાના આરોપી રાહુલ રમેશભાઈ ગડેશીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી ત્યારે આરોપી તરફે વકીલે ધારદાર દલીલો કરી હતી. જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે અને આ કેસમાં હાઈકોર્ટના એડવોકેટ પ્રેરક ઓઝા તેમજ મોરબી જીલ્લાના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલા હતા.






Latest News