મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?


SHARE











મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?
 
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત કરીને મોરબીના મહેન્દ્રપરામાં બનેલા મેઇન રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે રાવ કરેલ છે.
 
તેઓએ વધુમાં જણાવ્યું છેકે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહેન્દ્રપરા મેઈનરોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવેલ હતું.આ રોડ  બન્યા બાદ ખુબ જ ટુંકા સમયમાં તૂટી જવા પામેલ છે.આ રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતો.આ રોડમાં જનતાના ટેક્સના પૈસા ખર્ચીને બનાવવામાં આવેલ હતો.પરંતુ ભ્રષ્ટાચારી લોકો દ્વારા કરાયેલ મોટા ભ્રષ્ટાચારના કારણે કામ નબળું થવા થયુ હોવાથી આ રોડ તૂટી જવા પામેલ છે.
 
જેથી તેઓએ લોકહિતમાં માંગણી કરેલ છેકે આ રોડ નવેસરથી બનાવવો જોઇએ તેમજ આ નબળા કામના જવાબદારો સામે કાયદેસરની તપાસ કરાવીને કસુરવારો સામે દંડાત્મક પગલા લેવા જોઇએ.જો આમ નહિં કરવામાં આવો તો નાછુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અંતમાં કે.ડી.બાવરવા દ્રારા ઉચ્ચારવામાં આવેલ છે.





Latest News