મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાનમાં ટાઢોડું !: પ્રારંભે મતદારોની પાંખી હાજરી


SHARE













વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાનમાં ટાઢોડું !: પ્રારંભે મતદારોની પાંખી હાજરી

વાંકાનેર માર્કેટ યાર્ડની ૧૫ બેઠકો માટે આજે ચૂંટણી છે જેના માટે નવા વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે જો કે, વાતાવરણ ઠંડુગાર હોવાથી મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે અને આ ચુંટણીમાં જુદીજુદી પેનલોમાં બંને રાષ્ટ્રીય પક્ષ દ્વારા તેના ઉમેદવારો ઊભા કરવામાં આવેલ છે પરંતુ વેપારી પેનલની ચાર બેઠક સામે એક જ ઉમેદવાર ભાજપને મળેલ છે જેથી ત્રણ બેઠક કોંગ્રેસ માટે નિશ્ચિત થઈ ગઈ છે તો પણ ચૂંટણીનાં પરિણામમાં રસાકસી રહેશે તેવું ચરચરી રહ્યું છે  

વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાની આગેવાનીમાં તેમજ કોંગ્રેસનાં આગેવાન હરદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ દ્વારા વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કરવામાં આવેલ છે અને ખેડુત પેનલની ૧૦, વેપારી પેનલની ચાર અને સંઘ પ્રોસેસિંગની એક એમ કુલ ૧૫ બેઠકો માટે આજે ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને સવારે નવ વાગ્યાથી મતદાન પ્રક્રિયાને શરૂ કરવામાં આવેલ છે જો કે, હાલમાં વાતાવરણ ઠંડુગાર હોવાથી ચૂંટણીનાં મતદાન માટે મતદારોમાં પણ ટાઢોડું જોવા મળી રહયું છે અને મતદારોની હાલમાં સમાચાર લખાઈ રહયા છે ત્યારે પાંખી હાજરી જોવા મળી રહી છે જો કે, બપોરે મતદારોની સંખ્યા વધશે તેવું સૂત્રો કહી રહ્યા છે આ ચુંટણીમાં ખેડુત પેનલમાં ૧૦ બેઠકો માટે બંને પક્ષ તરફથી ૧૦-૧૦ ઉમેદવાર તેમજ એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે તો વેપારી પેનલમાં ચાર બેઠકો સામે ભાજપના  એક જ ઉમેદવાર છે માટે પરિણામ પહેલા જ આ ચાર પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસના ઉમેદવારો માટે નિશ્ચિત થઇ ગઇ છે અને તા ૧૨ ના રોજ વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે 






Latest News