મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ


SHARE





મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ

ખેડૂતોને તેઓની ઉત્પાદિત ખેત જણસોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના ખરીફ પાકો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મગફળી માટે રૂ. ૭,૫૧૭, મગ માટે રૂ. ૮,૭૮૦, અડદ માટે રૂ. ૮,૨૦૦ તથા સોયાબીન માટે રૂ. ૫,૭૦૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી તા. ૧૦-૦૯-૨૦૨૬ થી તા. ૦૯-૧૦-૨૦૨૬ સુધીના ૩૦ દિવસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ આવેલ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિનામૂલ્યે VCE મારફતે કરવામાં આવી રહી છે. ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલ છે. ફાર્મર રજીસ્ટ્રેશન ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી L1 POS Machine મારફતે થમ્બ પ્રિન્ટ/ ફેસિયલ ઓથેન્ટીકેશન દ્વારા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટીકેશન થકી કરવામાં આવશે. આ નોંધણી ભારત સરકારશ્રીના PM-AASHA Procurement Portal ( https://esamridhi.da.gov.in )પર કરવામાં આવી રહી છે. વધુમાં, ટેકાના ભાવે ખેત જણસનું વેચાણ કરવા માટે નોંધણી કરાવતી વખતે ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ આવરી લેવામાં આવેલા તમામ સર્વે નંબરોનો વિસ્તાર નોંધણી માટે ધ્યાને લેવામાં આવનાર છે. જેથી ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેઓએ સમયસર ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી તેમાં પોતાના તમામ સર્વે નંબરોનો સમાવેશ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે. મોરબી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને સરકારની ટેકાના ભાવે ખરીદી યોજનાનો લાભ મેળવવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં અનુરોધ કરવામાં આવે છે.




Latest News