ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીથી ચરાડવા જતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની કારનો અકસ્માત: બેને ઇજા 


SHARE











મોરબીથી ચરાડવા જતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની કારનો અકસ્માત: બેને ઇજા 

મોરબીથી ચરાડવા જતી કારને આડે ગાય ઉતરતા કાર રોડની નીચે ઉતારી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી તેમજ અન્ય એક વૃધ્ધને ઈજા થઈ હોવાથી તેઓને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીથી ચરાડવા જતી કારની આડે ગાય આવી હતી જેથી કરીને કાર રોડ નીચેના ભાગમાં ઉતરી ગઈ હતી અને આ કારની અંદર બેઠેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નીલકંઠ પ્રસાદ સ્વામી (ઉંમર ૪૩) તેમજ પ્રાણજીવનભાઈ મોહનભાઇ માકાસણા (૭૦) ને ઈજાઓ થઈ હતી માટે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના માનસર ગામે રહેતા સુરેશભાઇ ભીમાભાઇ બલદાણીયા (ઉંમર ૩૧) અને ધવલભાઈ ટીનાભાઇ બલદાણીયા (ઉંમર ૧૨) ને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી કરીને તે બંનેને મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સારવાર લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદની અંદર રહેતા અનવરભાઈ પરમારના પત્ની રોશનબેન (ઉંમર ૫૦) ગાડીમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

 





Latest News