મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં આઠ નવી કમિટીઓ બની !?: બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન


SHARE











મોરબી પાલિકામાં આઠ નવી કમિટીઓ બની !?: બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન

 મોરબી નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં આ વખતે નગરપાલિકા અંદર નવી આઠ કમિટીઓની રચના કરવામાં આવી છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પાલિકાની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા છે ત્યાર બાદ મોટાભાગના ઉમેદવારોએ માલદાર અને મોભાદાર કમિટીના ચેરમેન બનવા માટે થઈને પ્રયત્ન કર્યા હતા જોકે તમામ લોકોને સંતોષ આપી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી આ વખતે નવી આઠ કમિટીઓની રચના મોરબી પાલિકાની અંદર કરવામાં આવી છે જેમાં સમાજ કલ્યાણ કમિટી, મોક્ષધામ કમિટી, અમૃતમ યોજના કમિટિ, મહિલા કમિટી, એનયુએમએલ કમિટી, વાંચનાલય પ્રવૃત્તિ કમિટી, પસંદગી સમિતિ અને એનિમલ બર્ડ કમિટીનો સમાવેશ થાય છે આ નવી સમિતિઓના સમાવેશ સાથે કુલ ૨૫ કમિટીઓની રચના મોરબી નગરપાલિકાની અંદર કરવામાં આવી છે

બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન

મોરબી પાલિકાની સામાન્ય સભાની બેઠકમાં જુદા-જુદા ચૂંટાયેલા સભ્યો દ્વારા તેઓના વિસ્તારની અંદર વિકાસ કામો અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામો લેવામાં આવ્યા હતા તેને એક જ ઝાટકે મંજુર કરવામાં આવેલ છે ત્યારે આ બોર્ડ બેઠકની અંદર કોમી એકતાના દર્શન થયા હતા મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૭ ના ચૂંટાયેલા સભ્ય આસિફભાઇ રહિમભાઈ ઘાંચી દ્વારા રામચોક થી વાઘપરાના નાલા સુધીના રસ્તાને “સ્વામી વિવેકાનંદ” રોડ નામ આપવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News