તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE











હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ

હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીક લી રોડ ઉપરથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યાં પુરુષનું કોહવાઈ ગયેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કેનાલમાંથી કંકાલને બહાર કાઢીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે હાલમાં તજવીજ શરૂ કરવામાં આવે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મથક ગામે  રહેતા અસરફભાઈ હમીરભાઈ વડગામા જાતે મુસ્લિમે હળવદ પોલીસને જાણ કરી હતી કે હળવદ નજીકના ચરાડવા ગામ પાસે સમલી રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં અજાણ્યા પુરૂષની લાશ પડી છે જેથી કરીને હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર જઈને તપાસ કરતાં મૃતક વ્યક્તિના શરીર ઉપર ચામડી હતી અને માત્ર કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને આ મૃતક વ્યક્તિના કંકાલને કેનાલમાથી કાઢી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને મૃત વ્યક્તિની ઓળખ મેળવવા માટેની હાલમાં હળવદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે






Latest News