મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં યુવાને ઘરમાં પ્લાસ્ટિકના વાયરથી ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE







મોરબીના કુલીનગરમાં યુવાને ઘરમાં પ્લાસ્ટિકના વાયરથી ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતા યુવાને પોતાના ઘરના ઉપરના માળે અાવેલા રૂમમાં પ્લાસ્ટિકના વાયર વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા શબ્બીરભાઈ ગફુરભાઈ અજમેરી જાતે મુસ્લિમ (ઉંમર ૪૪) એ પોતાના ઘરની અંદર પ્લાસ્ટિકના વાયર (ઈલેક્ટ્રીક વાયર) થી ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો જેથી કરીને તેમના મૃતદેહને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલા આયુષ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી હતી.બનાવની તપાસ ચલાવી રહેલા એએસઆઇ વી.ડી.મેતાના જણાવ્યા પ્રમાણે મૃતક શબ્બીરભાઇ થોડા માનસિક અસ્વસ્થ હતા અને તેમને ત્રણ સંતાનો હોય અને પોતે હાલ કંઈ કામ ધંધો કરતા ન હોય અને તે ગઈકાલે કોઈ માનસિક આવેશમાં આવીને તેઓએ અંતિમ પગલું ભરી લીધું હોવાથી તેમનું મોત નિપજયુ હતુ અને આ અંગે આગળની તપાસ ચાલુ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીકના સિરામિક સિટી વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ મનુભાઈ અગ્રાવત નામનો ૪૫ વર્ષીય યુવાન કારખાનેથી બાઈક લઈને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઇને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા ખાડા વિસ્તારમાં રહેતી મદીનાબેન હાસમભાઇ ફકીર નામની ૧૫ વર્ષીય સગીરાને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી. તેમજ જેતપરના નવાપરા વિસ્તારમાં રહેતા રાજેશ બચુભાઇ દેગામા નામના ૨૮ વર્ષીય યુવાનને બાઈક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News