ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE











હળવદના ચરાડવા ગામે યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ એમપીના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે મહેશભાઈ છગનભાઈ માકાસણાની વાડીએ રહેતા મૂળ એમપીના અલીરાજપુરના દરાસ્ત દરસવાર ખારી ફળીયાના રહેવાસી શંકરભાઈ પીરૂભાઈ વાસકલ જાતે આદીવાસી (ઉમર ૨૨) એ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તા.૭-૧ ના વહેલી સવારે સાતેક વાગ્યે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા જોકે, ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે શંકરભાઇને મૃત જાહેર કર્યો હતો. બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બન્યો હોય પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી છે.તપાસ અધીકારી દેવાયતભાઇ બાળાએ બનાવના કારણ અંગે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી શીતલબેન ચિરાગભાઈ સતાપરા નામની ૨૮ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને હળવદ રોડ ઉપર આવેલા ઉંચી-નીચી માંડલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇકના પાછળના ભાગેથી નીચે પડી જવાથી શીતલબેન સતાપરને ઇજાઓ થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટના પેડક રોડ ઉપર આવેલ લાખેશ્વર સોસાયટીમાં શિવ નિવાસમાં રહેતા ઇન્દ્રજીત મનીષભાઈ હેરમાં નામના એકવીસ વર્ષીય યુવાનને રાજકોટમાં કામે જતા સમયે મહિલા પોલીસ સ્ટેશન નજીક કાલાવડ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં ઈજાઓ થતા તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો..!

યુવાન સારવારમાં

હળવદના જુના દેવળીયા ગામે આવેલ ભોજરાજ ભંગારના ડેલામાં કામ દરમિયાન ઈલેક્ટ્રીક શોટ લાગતા પ્રકાશભાઈ શંકરભાઈ ગુર્જર નામના ૨૦ વર્ષીય યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કેનાલ રોડ બોરીયાપાટી વિસ્તારમાં રહેતા મનીષ ભગવાનજીભાઈ ડાભી નામના ૨૦ વર્ષીય યુવાનને કેનાલ રોડ ઉપર આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News