મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિએ રાહતદરે ઉંધિયાનુ વિતરણ 


SHARE











મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિએ રાહતદરે ઉંધિયાનુ વિતરણ 

જલારામ મંદિરના અડદિયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવીણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે 

પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર શુદ્ધ તેલમાંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદિયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવીણભાઈ રસોયા દ્વારા ઉંધીયુ બનાવવા મા આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૧૪૦ના ભાવે ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તા.૧૪-૧-૨૦૨૨ મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ કલાક થી શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી મળશે. ઉંધિયુ મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ, દરિયાલાલ આલુભંડાર-શાકમાર્કેટ, સુરેશ કાપડ ભંડાર-જેલ રોડ, પોપટ પાન-સામા કાંઠે, ગુડી પાર્લર-સામાકાંઠે, રાજુભાઈ ગિરનારી-જુની દાણાપીઠ તથા જલારામ પાર્ક-નવલખી રોડ, પુજારા સિઝન સ્ટોર્સ- વાવડી રોડ, પરમાર ઈલેક્ટ્રોનિક્સ- ત્રિકોણ બાગહરીશભાઈ રાજા- સરદાર રોડનો સંપર્ક કરવા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ તથા નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.

 






Latest News