મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો
મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન
SHARE
મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન
મોરબી તાલુકા વિસ્તારમાંથી ગુમ થયેલ કે અપહરણ કરવામાં આવેલ સગીર, સગીરા, મહિલા, પુરુષો વિગેરેને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી અને છેલ્લા મહિનાઓમાં એક કે બે નહીં પરંતુ 36 જેટલા લોકોને ઓપરેશન મિલાપ અંતર્ગત શોધીને તેઓના પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું હતું.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સુચના અન્વયે ઓપરેશન મિલાપ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું અને સરહદી રેંજ આઈજી તેમજ મોરબીના એસપીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા વિસ્તારમાંથી ગુમ થયેલા કે પછી અપહરણ કરવામાં આવેલ લોકોને ઓપરેશન મિલાપ અંતર્ગત શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી અને ટે દરમ્યાન ગુમ થયેલ સગીર, સગીરા, મહિલા, અને પુરુષને શોધી કાઢવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ 36 લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, જે લોકોને શોધી કાઢવામાં આવેલ છે તેમાં 12 સગીરા, 16 મહિલા અને 8 પુરુષનો સમાવેશ થાય છે.