ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા


SHARE







હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા

હળવદ તાલુકાના જુના માલણીયા ગામ પાસેથી પસાર થતી કંકાવટી નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધી જવાના કારણે આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને ખાસ કરીને ખેતરની અંદર રહીને મજૂરી કામ કરતાં શ્રમજીવી પરિવારના બાળકો, મહિલા સહિત કુલ 12 લોકો પાણીની વચ્ચે જુદી જુદી જગ્યાએ ફસાઈ ગયા હતા તેને બહાર કાઢવા માટે  લાવવા માટે થઈને ફાયરની ટીમ કચ્છથી એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી અને અંદાજે 40 મિનિટમાં 2 મહિલા સહિત 5 લોકોને એનડીઆરએફ ની ટીમે પાણીની બહાર કાઢી લીધા હતા અને બાળકો સહિતના 7 લોકો તેના પરિવારજનો તેની પાસે પહોંચી જતા જાતે બહાર નીકળી gya હતા.

મોરબી જિલ્લામાં શનિવારના દિવસ દરમિયાન પાંચેય તાલુકાની અંદર વરસાદ  હતો જેમાં સૌથી વધુ વરસાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં હતો જોકે ધીમી ધારે વરસાદ પડ્યો હોવાના કારણે નવ ઇંચ જેટલો વરસાદ થયો તેમ છતાં પણ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં કોઈ જગ્યાએ કોઈ મોટા પ્રમાણમાં નુકસાન થયું નથી અને કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ ફસાયા નથી પરંતુ હળવદ તાલુકામાં શનિવારે દિવસ દરમિયાન સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને સાંજના છ વાગ્યા પછી વરસાદે વિરામ લીધો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો

પરંતુ હળવદના જુના માલણીયાદ ગામ પાસે કંકાવટી નદીમાં મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવ્યો હોવાના કારણે ખેતીમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના મહિલા, બાળકો સહિત પાંચ વ્યક્તિ એક જગ્યાએ ફસાયેલા હતા અને અન્ય જુદી જુદી વાડીમાં 7 લોકો ફસાયેલા હતા આમ કુલ 12 લોકો જુદી જુદી જગ્યા ઉપર ફસાયા હતા તેને બહાર કાઢવા માટે હળવદ પાલિકાની ફાયરની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એસડીઆરએફની ટીમને સ્થળ ઉપર મોકલવામાં આવી હતી પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી લોકોને સલામત રીતે બહાર કાઢવા મુશ્કેલ જણાતું હતું

જેથી કલેક્ટર દ્વારા સરકારમાં જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ એનડીઆરએફની ટીમને કચ્છથી જુના માલણીયાદ ગામે મોકલવામાં આવી હતી. જેની મદદથી પાણીની વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. હળવદના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાએ જણાવ્યું હતું કે, જુના માલણીયાદ ગામે એનડીઆરએફની ટીમ રવિવારે સવારે 3:30 કલાકે પહોંચી હતી અને 4:15 વાગ્યે  પાણીની વચ્ચે ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જોકે, નદીના સામાકાંઠે ખેતરમાં ફસાયેલા બાળકો સહિતના 7 લોકો પાસે બીજી બાજુથી તેના પરિવારજનો પહોંચી ગયા હતા જેથી તે લોકો ત્યાંથી સલામત રીતે પાણીમાંથી બહાર નીકળી ગયા હતા.






Latest News