મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ


SHARE







હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ

હળવદના મંગળપુર ગામની સીમમાં આવેલ ખેતરના શેઠે થાંભલા ઉભા કરવામાં આવ્યા હતા જે નડતર રૂપ હોવાથી બે મહિલાઓ તે થાંભલા કાઢવા માટે ગઈ હતી ત્યારે તેને થાંભલા કાઢવાની ના પાડ ને ગાળો આપી હતી તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્રણ લોકોને લોખંડના સળિયા અને પથ્થર વડે મારવામાં આવ્યો હતો જેથી પાંચેક વ્યક્તિઓને ઈજા થઈ હોય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના નવા વેગડવાઓ ગામે રહેતા અશ્વિનભાઈ ગોરધનભાઈ સોનાગ્રા (31) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઈ છગનભાઈ કંઝારિયા, છગનભાઈ પોપટભાઈ કંઝારિયા, પ્રવીણભાઈ નરસિંહભાઈ કંઝારિયા, ચંદ્રેશભાઇ ઘનશ્યામભાઈ કંઝારિયા અને દલસુખભાઈ હેમુભાઈ કંઝારિયા રહે.બધા નવા વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના ખેતરમાં જવાના રસ્તે આરોપીના પરિવાર દ્વારા થાંભલા નાખેલા હતા જે નડતર રૂપ હોય ફરિયાદીના કાકી કાંતાબેન તથા ભાભી રમીલાબેન થાભલા કાઢવા માટે જતા તેને ગૌતમએ થાંભલા કાઢવાની ના પાડીને ગાળો આપી હતી તેમજ ગૌતમ અને છગનભાઈએ ફરિયાદીના કાકી અને ભાભી તથા ફરિયાદીના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે પ્રવીણભાઈએ ફરિયાદીના કાકા વાસુદેવભાઈને લોખંડનો સળીયો મારીને પગે ઇજા કરી હતી અને ચંદ્રેશભાઇએ ફરિયાદીને પથ્થર મારીને જમણા હાથમાં ઇજા કરેલ છે તો દલસુખભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલને લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે મારામારીના આ બનાવ સંદર્ભે અગાઉ સામા પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે હવે આ બનાવમાં વળતી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News