મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર ગામે અલગારી જીવન જીવતા યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના રંગપર ગામે અલગારી જીવન જીવતા યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા રંગપર ગામે યુવાને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે

વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા અને છુટક મજુરીનું કામ કરીને અલગારી જીવન જીવતા મહેશ નાગજીભાઈ ગાંગીયા નામના ૨૦ વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હોય મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો અને બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના ડી.એ.જાડેજાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મૃતક મહેશ નાગજીભાઇ ગાંગીયા છૂટક મજૂરી કરીને જીવન જીવતો હતો અને અહીંતહીં ભટકતો રહેતો હતો.જોકે હાલ તેણે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે..? તે તપાસનો વિષય હોય તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ધરપકડ

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ટ્રાવલેસ સંચાલકને યુવાન સાથે ઝઘડો થયો હતો જે મારામારીના બનાવમાં ટ્રાવેલ્સ સંચાલક ઉપર ચાર લોકોએ પત્થર વડે હુમલો કર્યો હતો.જેથી ચાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બનાવમાં બી ડિવિઝન પોલીસે જસુબેન દિનેશભાઈ કણજારીયા દલવાડી (૫૩) અને કિંજલબેન દિનેશભાઈ કંજારીયા (૨૩) રહે. બંને રામકૃષ્ણનગર વાળાઓની ધરપકડ કરી હતી.જ્યારે બાઇક સ્લીપ થઇ જતાં મોરબી વીસીપરાના રહેવાસી હેમુભાઇ પોલાભાઈ દલસાણીયા નામના ૬૦ વર્ષીય આધેડને ઈજાઓ પહોંચી હતી. તે રીતે જ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મધુબેન કાંતિભાઈ જુલાસણા નામના એકાવન વર્ષિય આધેડ મહિલા માળીયા હાઇવે ઉપરથી વાહનમાં જતા હતા ત્યારે સનુરા સિરામિક નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે લઈ જવાયા હતા અને મોરબીના સામાકાંઠે ઈન્દીરાનગર વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં સાવન દિનેશભાઈ માલકીયા નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા સારવારમાં સિવિલે ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના પંચાસર ગામે કમળાબેન રઘુભાઈ માવી નામની ૩૫ વર્ષીય મહિલાએ જીતુભાઈની વાડીએ દવા પી લેતાં તેણીને અહિંની શુભ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે તાપીના નિપુર નજીક આવેલા સરવાડા ગામે રહેતો પીન્ટુભાઇ રવજીભાઈ ઠાકરે નામના ૩૨ વર્ષીય યુવાનનું મોરબીના નાગડાવાસ ગામે હોટલ નજીક બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત પિન્ટુભાઇને સારવારમાં મોરબી ખસેડાયો હતો. તેમજ મોરબીના ઉચી માંડલ ગામે રહેતા દેવરાજ કુંજલાલ પંજવાણી નામના ૬૫ વર્ષીય આધેડને પણ વાહન અકસ્માતમાં ઈજા થતાં ૧૦૮ વડે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે કચ્છ (ભુજ) ના ધાણેટીના રહેવાસી સુરેશભાઈ રાયધનભાઈ ભીલ નામના ૨૫ વર્ષીય યુવાનને મોરબી-માળીયા નેશનલ હાઈવે ભરતનગર ગામની પાસે ટ્રક પલ્ટી જવાના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવારમાં મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News