મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના વાત્સલ્ય સીવણ ક્લાસમાં તાલીમ લેનાર ૨૧ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા


SHARE













મોરબીના વાત્સલ્ય સીવણ ક્લાસમાં તાલીમ લેનાર ૨૧ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબી શહેરમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ ગંગાસ્વરૂપ સહાય સમિતિના સંયુક્ત ઉપક્રમે ગત સપ્ટેમ્બર માસથી સ્વનિર્ભર થવા ઇચ્છતા બહેનો માટે વાત્સલ્ય સીવણ ક્લાસ શરૂ કરવામાં આવેલ.આ ક્લાસમાં ત્રણ માસની અંદર બેઝિક સિલાઈ કામ શીખવાડવામાં આવેલ.જેમાં પ્રથમ ક્લાસમાં ૨૧ બહેનોએ સફળતાપૂર્વક સીલાઈ કામનું જ્ઞાન મેળવી જાતે પગભર થયેલ જેના અનુસંધાને આ તમામ લાભાર્થી બહેનોને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને ગંગાસ્વરૂપ સમિતિ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિના પ્રેણતાં દેવકરણભાઈ આદ્રોજા, રણછોડભાઈ કૈલા, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.પરેશ પારીઆ, ઉપપ્રમુખ નંદિની પારીઆ તેમજ ટ્રેનર જ્યોતિબેન ચાવડાએ તમામ લાભાર્થીઓને શુભ કામનાઓ પાઠવી હતી.






Latest News