ઇકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી!: મોરબી નજીકથી 493 બોટલ દારૂ સહિત 5.28 લાખના મુદામાલ સાથે એક પકડાયો, બે ની શોધખોળ મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શનિવારથી શુભારંભ મોરબીમાં નંદીઘરના સંચાલન માટે 5 કોર્ટપોરેટરનો સમાવેશ કરીને બનાવવામાં આવી કાર્યકારી મોનિટરિંગ ટીમ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અમદાવાદ ખાતે યોજાયેલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના દીપ પટેલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીમાં યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કારકિર્દી સેમિનાર યોજાશે સરકારના નવો પરિપત્ર જ મંજૂર નથી તો MRC કમિટીમાં રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી: મોરબીના જેતપર ગામના ખેડૂતો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન પગપાળા અયોધ્યાની યાત્રાએ


SHARE







વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન પગપાળા અયોધ્યાની યાત્રાએ

વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો છે, જે હાલ ઉતરપ્રદેશના ઝાંસી પહોંચેલ છે. આ અંગે કમલ સુવાસ સાથે ફોન પર વાત કરતા અયોધ્યા જવા પગપાળા નીકળેલા દેરાળાના જયંતિ ગણેશભાઈ ભીસડીયા (ઉ.33)એ જણાવ્યું હતું કે તેઓ 8 ધોરણ સુધી ભણેલા છે, પોતે પેઈન્ટર હોય દિવાળીએ પૂરાતી રંગોળી બનાવવાની મહારત છે, ચાર ભાઈ છે, કડીયા કામ કરે છે.

દેરાળાથી 20 દિવસ પહેલા તેઓ એકલા જ અયોધ્યા જવા નીકળેલા છે.  દેરાળાથી તેઓ ધ્રાંગધ્રા, માલવણ ચોકડી, તલોદ, મોડાસા, શામળાજી બોર્ડર થઈને રાજસ્થાનમાં ઉદેપુર, ચિતોડગઢ, બારા, શિવપુરી થઈને એમપીમાં પ્રવેશ કરેલ, અત્યારે તેઓ વતનથી 1025 કિ.મી. દૂર ઝાંસીનો કિલ્લો જોઈ રહ્યા છે. તેઓ દેરાળાના ઉપ સરપંચ છે.જયંતિભાઈ દરરોજ 55 થી 60 કિ.મી. ચાલે છે, શ્રધ્ધાના બળે થાક લાગતો નથી, કોઈ બીમારી કે કોઈ અકસ્માત થયો નથી, રાજસ્થાનમાં લગભગ અગીયારેક દિવસનો રસ્તો મોટેભાગે જંગલ વિસ્તાર હોવા છતા કોઈ અનિચ્છનીય ઘટના બનેલ નથી, દેરાળાથી અયોધ્યાનું કુલ અંતર 1540 કિ.મી. છે એમનું ઈન્સ્ટાગ્રામ આઈડી કેસરી.કેસરી.5667 છે.






Latest News