વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન પગપાળા અયોધ્યાની યાત્રાએ
SHARE
વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન પગપાળા અયોધ્યાની યાત્રાએ
વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો છે, જે હાલ ઉતરપ્રદેશના ઝાંસી પહોંચેલ છે. આ અંગે કમલ સુવાસ સાથે ફોન પર વાત કરતા અયોધ્યા જવા પગપાળા નીકળેલા દેરાળાના જયંતિ ગણેશભાઈ ભીસડીયા (ઉ.33)એ જણાવ્યું હતું કે તેઓ 8 ધોરણ સુધી ભણેલા છે, પોતે પેઈન્ટર હોય દિવાળીએ પૂરાતી રંગોળી બનાવવાની મહારત છે, ચાર ભાઈ છે, કડીયા કામ કરે છે.
દેરાળાથી 20 દિવસ પહેલા તેઓ એકલા જ અયોધ્યા જવા નીકળેલા છે. દેરાળાથી તેઓ ધ્રાંગધ્રા, માલવણ ચોકડી, તલોદ, મોડાસા, શામળાજી બોર્ડર થઈને રાજસ્થાનમાં ઉદેપુર, ચિતોડગઢ, બારા, શિવપુરી થઈને એમપીમાં પ્રવેશ કરેલ, અત્યારે તેઓ વતનથી 1025 કિ.મી. દૂર ઝાંસીનો કિલ્લો જોઈ રહ્યા છે. તેઓ દેરાળાના ઉપ સરપંચ છે.જયંતિભાઈ દરરોજ 55 થી 60 કિ.મી. ચાલે છે, શ્રધ્ધાના બળે થાક લાગતો નથી, કોઈ બીમારી કે કોઈ અકસ્માત થયો નથી, રાજસ્થાનમાં લગભગ અગીયારેક દિવસનો રસ્તો મોટેભાગે જંગલ વિસ્તાર હોવા છતા કોઈ અનિચ્છનીય ઘટના બનેલ નથી, દેરાળાથી અયોધ્યાનું કુલ અંતર 1540 કિ.મી. છે એમનું ઈન્સ્ટાગ્રામ આઈડી કેસરી.કેસરી.5667 છે.