મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી : ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત


SHARE





મોરબી : દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત
મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ સુરેન્દ્રનગરની સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા ધર્મિષ્ઠાબેન મહેશભાઈ ધાકડિયા (ઉમર ૧૫) રહે.કારેલા ગામ તા.લખતર જી.સુરેન્દ્રનગર નામની યુવતીનું મોત નિપજયુ હતુ.તેણી ઝેરી દવા પી ગયેલ હોય તેને ગત તા.૨૨-૬ ના રોજ મોરબી ખાતેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને તેનું તા.૬-૭ ના રોજ સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ હતું.બનાવની હોસ્પિટલ તરફથી મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા અત્રેની પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વધુ તપાસ માટે લખતર પોલીસને જાણ કરી હતી.જ્યારે મૂળ વડોદરા ખોડીયાર પાર્ક રાધિકા સોસાયટી ખાતેના વતની અને હાલ મોરબી મહેન્દ્રનગર ગામે રહેતા દિપકભાઇ વિસનજીભાઈ વરીયા પ્રજાપતિ (૪૪) નામના યુવાને કોઇ કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.
દારૂ પકડાયો
મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ જડેશ્વર મંદિર પાસેના કોમ્પ્લેક્ષમાં એ ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી દારૂના નાના ૨૦ ચપલા તથા દારૂની ૩૫ બોટલ મળી આવી હતી.જેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને પોલીસે તપાસ કરતા તેમાં સમીર શેરઅલી મોવર તથા હાજરાબેન શેરઅલી મોવર બંને રહે.મોરબીના નામ સામે આવેલ હોય તેઓની સામે ગુનો દાખલ કર્યો હતો અને તે બંનેની શોધખોળ શરૂ કરાઈ હતી.
મારામારીમાં ઇજા
મોરબી સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા જીગ્નેશ મનસુખભાઈ મહેમદાવાદી નામના ૨૭ વર્ષના યુવાન ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.જેથી મારામારીમાં ઘવાયેલા જીગ્નેશભાઈને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જીગ્નેશભાઈને માથામાં ઇજા થઈ હોય રાજકોટના લઇ જવાયો હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.તે રીતે જ મોરબી સોઓરડી પાસે આવેલ મારૂતિ પ્લોટ વિસ્તારમાં રહેતા હેમંતભાઈ કનુભાઈ ચૌહાણ (૪૦) નામના યુવાનને પણ મારામારીના બનાવમાં ઈજા થઈ હોય તેમને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી




Latest News