મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ શ્રી રામ મોબાઈલ ટેલિકોમ નામની દુકાનમા આગ લાગતાં ૨૦ લાખથી વધુનું નુકશાન


SHARE







મોરબીમાં આવેલ શ્રી રામ મોબાઈલ ટેલિકોમ નામની દુકાનમા આગ લાગતાં ૨૦ લાખથી વધુનું નુકશાન

મોરબીમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિરની સામેના ભાગમાં આવેલ વખત કોમ્પલેક્ષમાં ગઇકાલે રાતે દસેક વાગ્યાના અરસામાં શ્રી રામ મોબાઈલ ટેલિકોમ હોલસેલ મોબાઇલની દુકાનમાં આગ લાગી હતી અને આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી કરીને સીડી ઉપરથી ઉપરના ભાગે જઈ શકાય તેમ ન હતું ત્યારે આ ઘટનાની મોરબી પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી પાલિકાના ફાયર વિભાગની ટીમ ફાયર બ્રિગેડ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને લગભગ બે કલાકની જાહેમત બાદ આગા કાબુમાં આવી હતી અને આગ લાગવાથી દુકાન પાસે સીડીની બાજુમાં મૂકવામાં આવેલ સમાન બળીને ખાખ થઈ ગયો હતો. આ મુદે મોરબીના વસંત પ્લોટમાં રહેતા શ્રી રામ મોબાઈલ ટેલિકોમના માલિક સંજયભાઈ જગદીશભાઇ પૂજારા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, દુકાનની બહારના ભાગમાં સીડી પાસે કોઈ કારણોસર રાતે આગ લાગી હતી જેની પાલિકાના ફાયરને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં આવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જેથી કરીને દુકાનમા રાખેલા નવા મોબાઈલ ફોનમાં ઓછી નુકશાની થયેલ છે જો કે, દુકાનનું ફર્નિચર સહિતનો માલ બળી ગયો હોવાથી અંદાજે ૨૦ લાખથી વધુનું નુકશાન થયું છે






Latest News