મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત
મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા
SHARE
મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા
મોરબી જીલ્લાના માળીયા (મીં) તાલુકાના જુના ઘાંટીલા ગામે રહેતા પ્રદિપભા નાનભા ગઢવી નામનો યુવાન જુના ઘાંટીલાથી વેજલપર ગામે જતા હતા. ત્યારે રસ્તામાં બોલેરો કારના ચાલકે તેમને હડફેટે લેતા ઈજાગ્રસ્ત પ્રદિપભા ગઢવીને અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના ચરાડવા ગામે બસ સ્ટેશનની પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા વલમજીભાઈ પરસોતમભાઈ સોનગ્રા (65) રહે. ચરાડવાને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
દવા પી જતા સારવારમાં
હળવદના નવા માલણીયાદ ગામે રહેતા નવીનભાઈ કરશનભાઈ ડાભી (ઉ.27)એ ગામમાં વાડી વિસ્તારમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોરબીની સીવીલે લાવવામાં આવ્યો હતો. જયારે રમેશભાઈ નાથુભાઈ શુકલા (ઉ.50) રહે. ચાલાળાને માળીયા (મીં)ના મણાબા ગામે મુન્નાભાઈની વાડીએ ઓરડીમાં કોઈ ઝેરી દવા પી લેતા તેઓને પણ અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હળવદના રાતાભેરના રાજુભાઈ દિનેશભાઈ રાઠોડ (28)ને સિંધાવદર (વાંકાનેર) ખાતેની ગેબનશા પીરની દરગાહ નજીક મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઈજા
હળવદના ધણાંદ ગામના મનસુખભાઈ અજુભાઈ વાઘેલા (35) નામના યુવાનને ધણાંદ ગામે ઘર પાસે મારામારીમાં ઈજા થતા વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ ટંકારાના લજાઈ ગામે દ્વારકાધીશ લેબર કવાટરમાં રહેતા પિંકલબેન ગૌતમભાઈ (23)ને કવાર્ટર ખાતે મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.