મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી : ચોટીલા નજીક બસની ચાલુ મુસાફરીમાં ઓરિસ્સાના યુવાનનું મોત


SHARE











મોરબી : ચોટીલા નજીક બસની ચાલુ મુસાફરીમાં ઓરિસ્સાના યુવાનનું મોત

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા નજીક ચાલુ બસે એક વ્યક્તિ બેભાન થઇ જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લવાયો હતો જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભીમાભાઇ જાતુભાઈ બહેસરા (૩૨) રહે.ઓરિસ્સા નામનો યુવાન બસમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે ચાલુ મુસાફરી દરમિયાન ચોટીલા નજીક તે ચાલુ બસમાં બેભાન થઈ ગયો હતો જેથી તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવતા અહીં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે એ ડીવીઝન પોલીસને જાણ કરી હોય પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરી હતી.

યુવાન રાજકોટ ખસેડાયો

મધ્યપ્રદેશના અજમેરમાં આવેલ સરવાડનો રહેવાસી ઇમરાનઅલી અયુબઅલી ખાંટુ નામનો ૨૭ વર્ષીય યુવાન મોરબીના કંડલા બાઇપાસ પાપાજી ફનવર્લ્ડ નજીક હતો ત્યાં તેને ઈલેક્ટ્રીક સોટ લાગતાં મોરબી ખાતે સારવારમાં લવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે હળવદના ભલગામડાના રહેવાસી કાનજીભાઈ દલુભાઈ રાજપૂત નામના ૫૨ વર્ષીય આધેડે બાઈક લઈને જતા હતા ત્યાં તેમને રસ્તામાં બાઈક આડે કુતરુ ઉતરતા બાઈક સ્લીપ મારી જવાના બનેલા બનાવમાં ઈજા થવાથી કાનજીભાઈને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા જગજીવનભાઈ ઈશ્વરભાઈ સરાવાડીયા પટેલ નામનો ૪૩ વર્ષીય યુવાન વાહન લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જવાથી થયેલ અકસ્માત બનાવમાં ઇજા થવાથી તેને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા કમલેશ બાબુભાઇ ધોળકિયા નામના ૨૭ વર્ષના યુવાનને હળવદની દેવળીયા ચોકડીએ અંબિકા હોટલ પાસે થયેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટેની અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતા

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News