મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત


SHARE







હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત

કચ્છના રાપર ગામે રહેતી યુવતીએ જે યુવાનની સાથે મૈત્રી કરાર કરેલ હતા તેની સાથે રહેતી હતી અને તે યુવતીને તેનો ભાઈ અને પરિવારજનો લેવા માટે આવે છે તેવી બીક અને ભય હતો જેથી કરીને યુવતી અને યુવાને હળવદના રણમલપુર ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હોય આ બનાવની મૃતક યુવતીના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ પાટણ જિલ્લાના બામરોલી ગામના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના રાપર ખાતે પ્રાગપર ચોકડી પાસે મારુતિ શોરૂમની પાછળના ભાગમાં આવેલ શાકમાર્કેટ સામે છાપરામાં રહેતા શોભનાબેન હસનભાઈ મદારી (23) તથા માલદેવભાઈ ભુપતભાઈ પલાર (23) રહે.કવાડિયા હળવદ બંનેએ રણમલપુર ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન શોભાબેનનું મોત નીપજ્યું હોય આ બનાવ અંગેની મૃતક યુવતીના ભાઈ સૌરભ હસનભાઈ મદારી (27) રહેપ્રાગપર ચોકડી પાસે રાપર કચ્છ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે શોભાબેનમાલદેવભાઈ સાથે ભાગીને મૈત્રી કરાર કરેલ છે અને તેઓ બંને સાથે રહેતા હોય શોભાબેનને તેના ભાઈ અને પરિવારના સભ્યો લેવા માટે આવે છે તેવી બીક હતી.જેથી કરીને શોભાબેન અને માલદેવભાઈ બંનેએ પોતે પોતાની જાતે તા.8/7 ના રોજ ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી અને બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જે બનાવમાં શોભાબેનનું મોત નીપજ્યું છે

ફિનાઇલ પી લીધું

વાંકાનેરમાં અમરસિંહ હાઇસ્કુલ પાસે નવીનભાઈ પ્રવીણભાઈ જેઠીયા (26) નામના યુવાને કોઈ કારણોસર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News