મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી


SHARE







વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા

 સ્થાનકવાસી જૈન સંઘ વાંકાનેર ખાતે અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત સાધના સમ્રાટ ગુરૂદેવશ્રી પરમપૂજય ભાવચંદ્રજી સ્વામી આદીથાણા શેષકાળમાં પધારતા સ્થાનકવાસી જૈન સંઘમાં ધર્મોલ્લાસ છવાયો.

 શાંત પરમ હિતકારી, સંત ચરણ સુખકારી, સંતકૃપાની બલીહારી એ ઉકિત મુજબ પ.પૂ. આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી, પૂ.ડો.શ્રી ચિંતનચંદ્રજી સ્વામી, પૂ.શ્રી વિવેકચંદ્રજી સ્વામી પૂ.શ્રી અરિહંતચંદ્રજી સ્વામી, પૂ. શ્રી વર્ધમાનજી સ્વામી આદી ઠાણા-2 પધારતા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ વાંકાનેરના આંગણે 16 દિવસની સ્થિરતા દરમિયાન વ્યાખ્યાન, રાત્રી પ્રવચન, તપારાધનામાં યુવાનો તથા સકળ સંઘે ખુબ સુંદર લાભ લીધો હતો તેમજ પાર્શ્વ પદ્માવતી મંત્ર સાધના, પાસઠીયા યંત્ર આરાધનામાં પર્યુષણ પર્વ જેવો ઐતિહાસિક માહોલ રચાયો હતો.

રાજ્યસભાના સાંસદ તથા વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાએ અજરામર સંપ્રદાયના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના પાવન સાન્નિધ્યમાં ઉપસ્થિત રહી તેમના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.આ પવિત્ર અવસરે સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરીને ભાવભર્યું સન્માન વ્યક્ત કર્યું તથા તેમના શુભ આશીર્વાદ મેળવ્યા હતા. #morbi #મોરબી 






Latest News