વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં હિંદુત્વ પેરેડાઈમ પુસ્તકના વ્યાખ્યાનનો કાર્યક્રમમાં બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં સંપન્ન


SHARE











મોરબીમાં હિંદુત્વ પેરેડાઈમ પુસ્તકના વ્યાખ્યાનનો કાર્યક્રમમાં બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં સંપન્ન

મોરબીમાં સીમા જાગરણ મંચ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય રામ માધવજીના પુસ્તક હિંદુત્વ પેરેડાઈમ અંગે શહેરના ટાઉનહોલ ખાતે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી BAPS મંદિરના હરિસ્મરણ સ્વામી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયંતિભાઈ ભાડેસીઆ તથા ઓરેવા ગૃપના જયસુખભાઈ પટેલ તથા સિમ્પોલો ગૃપના જીતુભાઈ પટેલ સહિતના આગેવાનો અને ઉદ્યોગકારો ઉપસ્થિતિ રહ્યા હતા આ અવસરે યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલા વિસ્મય ત્રિવેદી તથા મયુર વાઘેલાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક રાજેશભાઇ એરણીયા સહ સંયોજક ડો જયેશભાઈ પનારા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હિરેનભાઈ વિડજા, દિલિપભાઈ પરમાર, મનુભાઈ કૈલા, હરેશભાઈ બોપલિયા, બ્રિજેશભાઈ કાલરીયા, અશ્વિનભાઈ રાઠોડ, ડો ઉત્સવભાઈ દવે, ધૃમીલભાઈ આડેસરા, મેહુલ ગાંભવા, બિપીન પટેલ, પંકજભાઈ ફેફર, વિશાલભાઈ બરાસરા, પરેશભાઈ મિયાત્રા, ચિરાગભાઈ હોથી, હિંમતભાઈ મારવણીયા, મનહરભાઈ કુંડારીયા, વિનુભાઈ મકવાણા, નિલેશભાઈ પારેજીયા, હિરેનભાઈ ધોરીયાણી, સંદિપભાઈ લોરીયા, રાજેશભાઇ બદ્રકિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યુ હતું






Latest News