મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી


SHARE











વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી

વાંકાનેર ખાતે નજીવી વાતે બોલાચાલી ઝગડો કરીને મારામારી કરવાનો બનાવ બન્યો હતો.જેમાં કાતર મારતા ઇસમને કેમ કાતર મારે છે ? તેમ વાત કરતા ટ્રાન્સપોર્ટર યુવાન ઉપર આઠ ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાવા પામેલ છે.

હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વદિપભાઇ ગાંડુભાઇ ડાભી ભરવાડ (ઉ.વ.૨૭) ધંધો ટ્રાન્સપોર્ટ રહે.ભરવાડપરા શેરી નંબર-૫ વાંકાનેરએ હુમલો કરનાર એજાજ ઉર્ફે ડાબલી, મહમદ હુશેન લાખા, એજાજનો ભાઇ, નીખીલ ઉર્ફે કાબો ભોજક, અકીલ, ઇકબાલ, આફતાબ લાખા અને અલફાઝ માણેક રહે.બધા વાકાનેર સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, આરોપી પૈકીનો એઝાજ ફરીયાદી સામે કાતરીયા મારતો હોય જેથી ફરીયાદીએ તેને કેમ કાતરીયા મારે છે ? તેમ કહેતા એઝાજે બાકીના સાથે મળી ગેરતાયદેસર મંડળી રચીને ફરીયાદી તેમજ સાહેદ મીલનભાઇ દાદર સાથે જેમફાવે તેમ બોલાચાલી કરી જપાજપી કરીને હથીયારો ધારણ કરીને મુંઢ માર મારી ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પીએસઆઇ વિ.કે.મહેશ્વરી ચપાસ ચલાવી રહ્યા છે.વાંકાનેર સહિત જિલ્લામાં બનતા આવા બનાવો પોલીસનો લેસ માત્ર ભય ન હોય તેવો ઘાટ સર્જે છે.જે ચિંતાનો વિષય છે.

અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નીપજાવનાર કાર ચાલકની સામે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ઘનશ્યામભાઈ બચુભાઈ વારેવડીયા પ્રજાપતિ (ઉંમર ૪૪) રહે.દાધોળીયા તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગરએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સ્કોર્પીયો કાર નંબર જીજે ૩૬ એજે ૪૪૫૦ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓના પિતા બચુભાઈ વારેવડીયા તેમનું મોટર સાયકલ લઈને પરત ઘરે આવતા હતા ત્યારે તા.૧૨ ના બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં વાંકાનેરની નર્સરી ચોકડી પાસે સ્કોર્પીયો કારના ચાલકે બેદરકારીથી વાહન હંકારીને તેમના બાઇકને હડફેટે લીધું હતું.આ બનાવમાં માથા-શરીરે ગંભીર ઇજાઓ થવાથી બચુભાઈનું મોત નિપુ હતું.હાલ આ બાબતે ગુનો નોંધાતા વનરાજસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના ચરાડવા ગામ પાસે બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં અભિષેક શિવકુમાર (૧૮), અમનેષ તક્ષશરામ કુમાર (૧૭) તથા શિવકુમાર વાસુદેવભાઈ કુમાર રહે.તમામ ચરાડવાનો ઇજા થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News