મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

અલવિદા ૨૦૨૧: મોરબી જિલ્લામાં ૩૯ હત્યા, ૧૦૩ ચોરી, ગુનેગારો બેફામ, પોલીસના અસ્તિત્વ સામે સવાલ !


SHARE











અલવિદા ૨૦૨૧: મોરબી જિલ્લામાં ૩૯ હત્યા, ૧૦૩ ચોરી, ગુનેગારો બેફામ, પોલીસના અસ્તિત્વ સામે સવાલ !

વર્ષ ૨૦૨૧ માં કાયદો અને વ્યવસ્થાનું મોરબી જિલ્લામાં અસ્તિત્વ જ ન હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો અને ચાલુ વર્ષમાં ૩૯ લોકોની હત્યા મોરબી જીલ્લામાં કરવામાં આવી છે અને તસ્કરો દ્વારા ૧૦૩ ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવેલ છે જો કે, પોલીસ ચોપડે નહીં નોંધાયેલા ચોરી, હુમલા, મારા મારી સહિતના બનાવોને જો ધ્યાનમાં લેવામાં આવે તો મોરબી જીલ્લામાં ગુનેગારો બેફામ હોય અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય તેમ છે

મોરબી જિલ્લો બન્યા પછી સિરામિક સિટી જાણે કે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અગાઉ મોરબી સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન હતા અને અધિકારી તેમજ કર્મચારી ઓછા હતા તો પણ મોરબીમાં જીવલેણ હુમલો, રાયોટિંગ, ચોરી, હત્યા, લૂંટ સહિતના બનાવો ઓછા બનતા હતા જો કે, છેલ્લા વર્ષોમાં મોરબી ક્રાઇમ સિટી બની ગયું હોય તેમ ગંભીર ગુનાની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે મોરબી જિલ્લા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં ગત વર્ષ દરમ્યાન કુલ મળીને ૧૮ લોકોની હત્યા કરવામાં આવી હતી જો કે, તેની સરખામણીએ ચાલુ વર્ષ ૨૦૨૧ માં ૩૯ લોકોની મોરબી જીલ્લામાં હત્યા કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં ગુનેગારોને ડામવા માટે એલસીબી, એસઓજી સહિતની ટીમો કામ કરી રહી છે તો પણ જીલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઊભા થાય તેવી સ્થિતિ ઊભી થયેલ છે કેમ કે, હત્યાના બનાવોમાં જે રીતે ચિંતાજનક વધારો થયો છે તેવી જ રીતે પોલીસ ચોપડે મોરબી જીલ્લામાં ચોરીની ૭૪ ઘટના નોંધાઈ હતી તેની સામે ૨૦૨૧ માં ૧૦૪ જેટલા ચોરીના બનાવો મોરબી જીલ્લામાં નોંધાયા છે અને હુમલાના બનાવો ગત વર્ષમાં ૧૧ હતા જયારે તે ચાલુ વર્ષે ૧૮ છે

મોરબી જીલ્લામાં ગુનેગારો બેફામ બનેલા છે ત્યારે પોલીસ મૂકપ્રેક્ષક બની છે કે શું તેવો પ્રબુધ્ધ નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે છેલ્લા વર્ષોમાં મોરબીમાં જુદીજુદી ગેંગો અસ્તિત્વમાં આવી હોવાથી ગેંગવોર, અંધધૂંધ ફાયરિંગ, સરાજાહેર લૂંટ સહિતની ઘટનાઓ છેલ્લા એક વર્ષમાં સામે આવેલ છે જેથી કરીને લોકોની અસલામતી સામે પણ હવે તો સવાલો ઉઠી રહયા છે મોરબી જિલ્લામાં જે રીતે હત્યા, ચોરી અને હુમલાના બનાવાનોમાં વધારો થયો છે

તેવી જ રીતે અપહરણ સહિતના અન્ય ગુનામાં પણ વધારો થયેલ છે અને છેલ્લા એક વર્ષમાં અપહરણની ૫૬ ફરિયાદો મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવી છે અને પોલીસે એક વર્ષમાં ૧૦૨ કરતાં વધુ આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે તો પણ મોરબી જીલ્લામાં ગુનેગારી ઘટવાના બદલે વધી રહી છે જેથી લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા ગુનેગારોની સામે આગામી વર્ષમાં કડક હાથે કામ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે

 






Latest News