મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગરમાં નજીવી વાતમાં મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના આંબેડકરનગરમાં નજીવી વાતમાં મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં.3માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર શહેરમાં આવેલ આંબેડકરનગર શેરી નં.3 માં રહેતા ભરતભાઈ મગનભાઈ બોસિયા (37)એ મનીષ મૂળજીભાઈ બોસિયા, હિતેશ મૂળજીભાઈ બોસિયા, ગીતાબેન મનીષભાઈ બોસિયા, ક્રિષ્નાબેન મનીષભાઈ બોસિયા અને પુરીબેન મૂળજીભાઈ બોસિયા રહે. બધા આંબેડકર નગર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી થોડા સમયથી રાજકોટથી વાંકાનેરના આંબેડકરનગરમાં આરોપીઓના ઘર નજીક રહેવા માટે આવેલ છે જેથી આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ એક સંપ કરીને લાકડાના ધોકા વડે ફરિયાદીને હાથે પગે માર માર્યો હતો જ્યારે ગીતાબેન અને ક્રિષ્નાબેન સાહેરાધાબેનને લાકડાના ધોકા વડે શરીરે અને પગના ભાગે મારમારીને ઇજા કરેલ છે અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

જ્યારે સામેપક્ષેથી આંબેડકરનગર શેરી નં.3 માં રહેતા ગીતાબેન મનીષભાઈ બોસિયા (40)એ ભરતભાઈ મગનભાઈ બોસિયા, રાધાબેન ભરતભાઈ બોસિયા, નિલેશ મગનભાઈ બોસિયા, મીનાબેન નિલેશભાઈ બોસિયા અને બુબેન મગનભાઈ બોસિયા રહે. બધા આંબેડકર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના દિયર હિતેશભાઈને આરોપી ભરતભાઈ સાથે થોડા દિવસો પહેલા બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને ગીતાબેનને માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને લોહી નીકળે તેવી ઇજા કરી હતી જ્યારે બાકીના આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી મારામારીના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News