મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે આગ લાગતા કારખાનામાં પડેલો માલ સામાન બળીને ખાખ


SHARE











મોરબીના ગાળા ગામ પાસે આગ લાગતા કારખાનામાં પડેલો માલ સામાન બળીને ખાખ

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ કારખાનામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આ બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો અને ફાયરની ટીમે કારખાનામાં લાગેલી આગને કાબુમાં લીધી ત્યાં સુધીમાં કારખાનામાં પડેલ માલ સામાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આ બનાવમાં સદ્નસીબે કોઈ જાનહાની થયેલ નથી

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે ટી પ્લસ સર્જીકલ્સ નામના કારખાનાની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર સાથે સ્થળ ઉપર પહોંચી હતી અને કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. અને ફાયર વિભાગની ટીમ દ્વારા મીની ફાઈટર અને વોટર બ્રાઉઝરથી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને કારખાનામાં લાગેલી આગ સો ટકા કાબુમાં આવી ત્યાં સુધીમાં કારખાનાની અંદર રાખવામાં આવેલ તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો જેથી કારખાનેદારને મોટું નુકસાન થયું હશે. જો કે, કયા કારણોસર કારખાનામાં આગ લાગી હતી તે અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી અને આગ લાગવાની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી તેવું ફાયર વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News