મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત


SHARE











વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં મળેલ સામાન્ય સભાની મિટિંગમાં યાર્ડના યુવા ડિરેક્ટર દ્વારા ખેડૂતો તેમજ યાર્ડમાં કામ કરતા કામદારો માટે અકસ્માત મૂત્યુ સહાય આપવાની રજૂઆત કરેલ છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અગાઉની મળેલ મિટિંગમાં યાર્ડના યુવા ડિરેક્ટર અશ્ચિનભાઈ મેઘાણી રજૂઆત કરી હતી છતાં આજ સુધી ખેડૂતો અને કામ કરતા કામદારો માટે અકસ્માત મૂત્યુ સહાય આપવાની અમલવારી કરવામાં આવેલ નથી જેથી કરીને વધુ એક વખત તેઓએ માર્કેટિંગ યાર્ડની મિટિંગમાં આ બાબતે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકા તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતાં તમામ ખેડૂત ખાતેદાર તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા તમામ મજૂરોને જે રીતે અન્ય માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત મુત્યુ સહાય આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુત્યુ સહાય આપવામાં આવે તેવી માગણી કરેલ છે તેમજ તેઓની આ રજૂઆતને ડિરેક્ટર જલાભાઈ શેરસીયા અને યુનુસભાઈ ખોરજીયા દ્વારા ટેકો આપવામાં આવેલ છે.






Latest News