મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ


SHARE













મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત સામાજિક સંગઠન ક્રાંતિકારી સેનાના નામ અને લોગાના ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તે અંગેની લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

ક્રાંતિકારી સેના સંગઠનના સભ્ય યોગેશભાઈ રમેશભાઈ ગાંભવાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2013 થી મોરબીમાં કાર્યરત ક્રાંતિકારી સેનામાં આશરે 500 જેટલા સભ્યો જોડાયેલા છે અને સંગઠન મુખ્યત્વે સામાજિક સેવા તેમજ અબોલ જીવોની સેવા માટે કાર્ય કરે છે. સંગઠનની કોઈપણ રાજકીય પાર્ટી અથવા પ્રવૃત્તિ સાથે કોઈ જોડાણ નથી અને તે બિનરાજકીય તરીકે ઓળખ ધરાવે છે. જો કે, તાજેતરમાં વડોદરાના રહેવાસી શ્રેય મહેન્દ્રભાઈ પટેલે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સંગઠનનું નામ, રજિસ્ટર્ડ લોગો અને પોસ્ટરોનો દૂરઉપયોગ કર્યો હતો. જેથી કરીને સામાન્ય નાગરિકોમાં સંગઠન વિષે ખોટો ભ્રમ ઊભો થાય અને સંગઠનની પ્રતિષ્ઠાને નુકસાન પહોચે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. અને તેણે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો પોસ્ટ કરીને પોતાને માસ્કમેનતરીકે પ્રોજેક્ટ કરી અંગત રાજકીય અને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો છે તેવો હાલમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News