મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લામાં મહામહિમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત 20 જેટલા શ્રેષ્ઠ શિક્ષકો તેમજ જેમના પુસ્તકો સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયા છે એવા કવિ લેખકોના સન્માનનો કાર્યક્રમ કોમનમેન ફાઉન્ડેશન દ્વારા અત્રેના સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે યોજાઈ ગયો હતો

કાર્યક્રમમાં પી.જી.પટેલ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટની ટીમ દ્વારા શ્રુતલેખનનું આયોજન કરવા આવ્યું હતું જેમાં 100 જેટલા લોકોએ ભાગ લીધો હતો. શ્રુતલેખનના નિયમોની સમજ રાજેશભાઈ મોકાસણા શિક્ષક ઘુનડા (સ.) શાળાએ આપી હતી. શ્રુતલેખન મનનભાઈ બુદ્ધદેવે કરાવ્યું હતું શ્રુતલેખન બાદ ચકાસણીનું કાર્ય શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિશાલ ભાદાણી, ડો.નિશિથ પટેલ અને ડો.સતીષ પટેલના વરદ હસ્તે મગનભાઈ જાકાસણીયા, પ્રેમજીભાઈ વડાવીયા, અબ્દુલભાઈ શેરસિયા, ડો.હજીભાઈ બાદી, દિનેશભાઈ વડસોલા, કમલેશભાઈ  દલસાણીયા, જીવતીબેન બચુભાઈ પીપલિયા, દિનેશકુમાર ભેંસદડિયા, પ્રવિણકુમાર પટેલ, અંજનાબેન ફટાણિયા, શૈલેષકુમાર કાલરિયા, જીતેન્દ્ર પાંચોટિયા, હર્ષદકુમાર પટેલ, રમેશચંદ્ર પટેલ, વિજયકુમાર દલસાણિયા, ધનજીભાઈ ચાવડા, મહમદહુસેન કડીવાર મહેશગર ગૌસ્વામી, ઊર્મિલા આસર, અશોકભાઈ કાંજીયા, જિતેન્દ્ર પટેલ, સંજય બાપોદરિયા, પ્રકાશભાઈ કુબાવત વગેરેનું સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી સાલ ઓઢાડી, પુસ્તક દ્વારા અદકેરું સન્માન કરાયું હતું.

ત્યારબાદ કેળવણી કાર વિશાલભાઈ ભાદાણીએ પોતાની આગવી શૈલીમાં પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા અને આગામી શિક્ષણ વ્યવસ્થાના પડકારો, ઉકેલ વિશે વિસ્તૃત રીતે છણાવટ કરી ઉપસ્થિત સૌ શ્રોતાજનોને મંત્ર મુગ્ધ કરી દીધાં હતા ત્યાર બાદ તેઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં ગુજરાતી જોડણીનું મહત્વ સમજાવતા શ્રુતલેખન પરિણામ જાહેર સંજયભાઈ બાપોદરિયાએ કર્યું હતું અને પ્રથમ ડો.હજીભાઈ બાદી, દ્વિતીય મીરાંબેન ખારેચા, તૃતીય સોનલબેન દેથરીયા, ચતૃથ પુનિતભાઈ વાંસદડીયા, પાંચમા ક્રમે નરશીભાઈ અંદરપાના નામની જાહેરાત કરી હતી આ વિજેતાઓનું પુસ્તકો આપીને સન્માન કર્યું હતું. અને અંતમાં કોમનમેન ફાઉન્ડેશના પ્રમુખ ડો.સતીષ પટેલે ઋણ સ્વીકાર કર્યો હતો અને પ્રાસંગોચિત વાત પોતાની આગવી શૈલીમાં રજૂ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અને મનહરભાઈ સુદ્રાએ કર્યું હતું






Latest News