મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા


SHARE











મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા

પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શાસન સ્થાપના દિવસે એક સાથે ૫૩ શ્રાવક-શ્રવિકોએ સામુહિક રીતે શ્રાવકના બાર વ્રતની આરાધનાનો સંકલ્પ લઈને કર્મની શુદ્ધિ અને પુણ્યની વૃદ્ધિ કરી હતી. ડૉ. ચિંતનચંદ્રજી સ્વામી, ધીરતાજી આર્યાજી વગેરેએ વ્યાખ્યાન, શિબિર, મહિલા મંડળ, વિમલનાથ પ્રભુના જાપ આદી કાર્યક્રમોમાં ધર્મ પ્રેરણા કરીને શ્રાવક જીવનના પરમ આદર્શરૂપ બાર વ્રતની ધારણા કરવા સમજણ આપી હતી. અને રોજ રાતે ભાઈઓને પણ પૂ.શ્રી. વર્ધમાન સ્વામીએ વિસ્તારથી શ્રાવકવ્રતની સમજુતી આપીને વધુને વધુ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરવાની ભાવ પ્રેરણા કરી હતી. વ્રતધારી દરેક આરાધકોની એક ગુરુભક્ત તરફથી અનુમોદના કરવામાં આવેલ હતું અને શાસન સ્થાપના ૨૫૮૨ માં વર્ષના પ્રારંભે અઢીસો પચ્ચખાણમાં ૨૮૯ ભાવિકો જોડાયા હતા. પૂ. આચાર્ય ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં દૈનિક પ્રવચન ધારામાં જૈન-જૈનેતર ભાવીકો લાભ લે છે. મોરબી મનપા ચુંટણીમાં વિજેતા થયેલ ઉમેદવારો અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ગુરુદર્શન માટે હાજર રહ્યા હતા.






Latest News